Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gyanvapi Case: કોર્ટે સંભળાવ્યો ફેંસલો, ASI સર્વેમાં થશે ખુલાસો, ખત્મ થશે વિવાદ

જ્ઞાનવાપી મસ્જિદ અને મા શૃંગાર ગૌરીના કેસમાં શુક્રવારે કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો. આ કેસમાં શુક્રવારે જિલ્લા ન્યાયાધીશ ડો.અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે એસઆઈ સર્વેને મંજૂરી આપી હતી.

આ મામલે કોર્ટ દ્વારા ASI સર્વેના ચુકાદા બાદ હિન્દુ પક્ષનું કહેવું છે કે હવે બધું સ્પષ્ટ થઈ જશે. નિર્ણય બપોરે જ આવવાનો હતો પરંતુ 4 વાગ્યે નિર્ણય જારી કરવામાં આવ્યો હતો, જેના કારણે બંને પક્ષોએ લાંબો સમય રાહ જોવી પડી હતી.

તમને જણાવી દઈએ કે 14 જુલાઈએ આ મામલે સુનાવણી બાદ જિલ્લા ન્યાયાધીશ ડો. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે આ કેસમાં ચુકાદો જાહેર થતાં હિન્દુ પક્ષના લોકોનું કહેવું છે કે ASIની તપાસ બાદ સત્ય બહાર આવશે.

Gyanvapi

જ્ઞાનવાપી-કાશી વિશ્વનાથ મંદિર કેસમાં વારાણસી જિલ્લા અદાલતે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. આ નિર્ણય કાર્બન ડેટિંગ માટે સીલ કરાયેલા ભાગ સિવાય બાકીના સર્વેને લઈને આપવામાં આવ્યો છે.

વારાણસી કોર્ટે પોતાનો ચુકાદો આપતાં કહ્યું- વિવાદિત ભાગને છોડીને બાકીના કેમ્પસનો સર્વે કરવામાં આવશે. આ ચુકાદો આપતા વારાણસી કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી. મુસ્લિમ પક્ષે સર્વે પર રોક લગાવવા અરજી કરી હતી.

આ મામલે ચુકાદો આપતી વખતે કોર્ટે ત્રણ શરતો રાખી છે. કોર્ટે કહ્યું કે ASI દ્વારા વૈજ્ઞાનિક સર્વે સવારે 8-12 વાગ્યાની વચ્ચે થશે. નમાઝ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. જ્ઞાનવાપી મસ્જિદને કોઈ નુકસાન કરાશે નહીં.

કેસની આગામી સુનાવણી 4 ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવી છે. કોર્ટે ASIને સર્વે કરીને 4 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, વિવાદિત ભાગ સિવાય, હિન્દુ પક્ષ દ્વારા સમગ્ર કેમ્પસના વૈજ્ઞાનિક સર્વેક્ષણની માંગ કરવામાં આવી હતી. આ અંગે ત્રણ દિવસની સુનાવણી બાદ 14 જુલાઈના રોજ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. આજે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.

જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે કોર્ટે ASI સર્વે કરવાનો આદેશ આપ્યો છે. અમે કહ્યું કે ASI દ્વારા સમગ્ર વિસ્તારનો સર્વે કરવામાં આવે. આજે કોર્ટે અમારી અરજી પર સંમતિ આપી છે અને હવે ASI આ બાબતની દિશા અને સ્થિતિ નક્કી કરશે.

તેમણે કહ્યું કે શિવલિંગનો કોઈ સર્વે થશે નહીં. તેમનો કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે જેની આગામી સુનાવણી 29 ઓગસ્ટે છે. પરંતુ શિવલિંગ સિવાય સમગ્ર કેમ્પસનો સર્વે થશે.

જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ સુભાષ નંદન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે કોર્ટે ASI સર્વેની અમારી અરજી સ્વીકારી લીધી છે. આ મામલામાં એક વળાંક છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X