Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જ્ઞાનવાપી મસ્જિદ મામલો: કમિશ્નરને હટાવવાનો કોર્ટે કર્યો ઇનકાર, 17 મેં સુધી કરાશે સર્વે

ઉત્તર પ્રદેશના વારાણસી શહેરની જ્ઞાનવાપી મસ્જિદની અંદર સર્વે કરવા માટે કોર્ટ આજે પોતાનો નિર્ણય આપશે. કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં સ્થિત વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદની અંદર જઈ રહેલા સર્વે અંગે સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ)ની કોર

ઉત્તર પ્રદેશના વારાણસી શહેરની જ્ઞાનવાપી મસ્જિદની અંદર સર્વે કરવા માટે કોર્ટ આજે પોતાનો નિર્ણય આપશે. કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં સ્થિત વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદની અંદર જઈ રહેલા સર્વે અંગે સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ)ની કોર્ટમાં સુનાવણી બુધવારે પૂર્ણ થઈ હતી. જે બાદ કોર્ટે આજે એટલે કે ગુરુવાર સુધી નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આજે જ્ઞાનવાપી સંકુલમાં સર્વે માટે નિમાયેલા કોર્ટ કમિશનરની બદલી કરવાનો અને જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરાનો સર્વે અને વિડિયોગ્રાફી કરવાનો નિર્ણય લેવાયો છે.

Gyanvapi Masjid

મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના પગલારૂપે કોર્ટ પરિસરની સુરક્ષા સઘન કરવામાં આવી છે.

શું છે મામલો?

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અંગેનો તાજેતરનો વિવાદ મસ્જિદ પરિસરની અંદર શ્રીંગાર ગૌરીની દૈનિક પૂજાની માંગને લઈને છે. દિલ્હીની પાંચ મહિલાઓએ વારાણસીની જિલ્લા અદાલતમાં નવી અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પરિસરમાં આવેલી શ્રૃંગાર ગૌરીની મૂર્તિ વર્ષમાં એક જ દિવસે દર્શન-પૂજા માટે ખોલવામાં આવે છે, જેને પૂજા માટે ખોલવી જોઈએ. તે જ સમયે, કોર્ટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવી જોઈએ, જે દેવી-દેવતાઓની મૂર્તિઓની સુરક્ષા સુનિશ્ચિત કરે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X