Gyanvapi Mosque Case : જ્ઞાનવાપીમાં શિવલિંગની પૂજા થશે કે નહીં, આજે થઇ શકે છે નિર્ણય

Gyanvapi Mosque Case : વારાણસી જિલ્લા ન્યાયાલયમાં આજ રોજ એટલે કે 2 ડિસેમ્બરે જ્ઞાનવાપી મસ્જીદ કેસ અંગેની સુનાવણી થશે. જ્ઞાનવાપી મસ્જીદના પરિષરમાં મળેલી શિવલિંગની પૂજા થશે કે નહીં.

Gyanvapi Mosque Case : વારાણસી જિલ્લા ન્યાયાલયમાં આજ રોજ એટલે કે 2 ડિસેમ્બરે જ્ઞાનવાપી મસ્જીદ કેસ અંગેની સુનાવણી થશે. જ્ઞાનવાપી મસ્જીદના પરિષરમાં મળેલી શિવલિંગની પૂજા થશે કે નહીં, મુસ્લીમોના પ્રવેશ પર રોક લગાવવા અને જ્ઞાનવાપી મસ્જીદના ગેરકાયદેસર બાંધકામ હટાવવા અંગે આજે વારાણસી જિલ્લા ન્યાયાલયમાં સુનાવણી કરવામાં આવશે.

Gyanvapi Mosque news

આ મામલે છેલ્લી સુનાવણી 17 નવેમ્બરના રોજ થઇ હતી. જે બાદ કોર્ટ દ્વારા આ કેસને માન્યતા આપવામાં આવી હતી. જે બાદ મુસ્લિમ પક્ષ દ્વારા પણ અરજી દાખલ કરી છે.

અંજુમન ઈસ્લામિયા મસ્જિદ સમિતિની અરજીને ફગાવી દેવામાં આવી

ઉલ્લેખનીય છે કે, 17 નવેમ્બરના રોજ વારાણસી ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા જ્ઞાનવાપી મસ્જિદ સંકુલને હિંદુ પક્ષને સોંપવાના કેસની જાળવણીને પડકારતી અંજુમન ઈસ્લામિયા મસ્જિદ સમિતિની અરજીને ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે અરજી પર આગામી સુનાવણી 2 ડિસેમ્બર પર મુલતવી રાખી છે.

વિશ્વ વૈદિક સનાતન સંસ્થાએ પણ કથિત શિવલિંગ મળ્યા બાદ વારાણસીની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એક અલગ અરજી દાખલ કરી

કોર્ટ નવેમ્બરમાં 'શિવલિંગ'ની પૂજા કરવાનો અધિકાર માંગતી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેનો હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે, તે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં મળી આવ્યું હતું. વિશ્વ વૈદિક સનાતન સંસ્થાએ પણ કથિત શિવલિંગ મળ્યા બાદ વારાણસીની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એક અલગ અરજી દાખલ કરી છે. આ અરજી વિશ્વ વૈદિક સનાતન સંસ્થાના પ્રમુખ જીતેન્દ્ર સિંહ વિશેનની પત્ની કિરણ સિંહ અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવી હતી.

કોર્ટે ઓર્ડર 7/નિયમ 11 હેઠળ જણાવ્યું હતું કે, આ કેસ જાળવવા યોગ્ય નથી

હિંદુ પક્ષની માંગ છે કે, સ્વયંભુ જ્યોતિર્લિંગને ભગવાન વિશ્વેશ્વરની પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે, સમગ્ર જ્ઞાનવાપી સંકુલ હિન્દુઓને સોંપવામાં આવે અને જ્ઞાનવાપી સંકુલમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ કેસમાં, કોર્ટે ઓર્ડર 7/નિયમ 11 હેઠળ જણાવ્યું હતું કે, આ કેસ જાળવવા યોગ્ય નથી.

આ દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે બુધવારે (30 નવેમ્બર) જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિંદુ અને મુસ્લિમ અરજદારોને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું કે, તેણે 16 મેના રોજ મસ્જિદ પરિસરમાં મળેલા સ્ટ્રક્ચરની કાર્બન ડેટિંગ સહિત કોઈ તપાસ કરી છે કે કેમ. વૈજ્ઞાનિક તપાસ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે કેમ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X