Haryana Election 2024 : હરિયાણામાં બીજેપી ચૂંટણી પહેલા જ બહાર થઈ ગઈ? જાણો શું કહ્યું રાકેશ ટિકૈતે?
Haryana Assembly Election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપી નેતાઓ અને ખાસ કરીને કંગના રનૌતનો બકવાસ યથાવત છે.
ક્યારેક દેશના ખેડૂતોને આતંકવાદી કહેનારી કંગના રનૌતે હવે કૃષિ કાયદા ફરી લાગુ કરવાની વાત કરીને બીજેપીને મુશ્કેલીમાં મુકી દીધી છે. કંગનાનું આ નિવેદન બીજેપીને ભારે પડી રહ્યું છે.

કંગનાના નિવેદન બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે હરિયાણામાં બીજેપીએ પગ પર કુહાડી મારી છે. હરિયાણામાં હવે તેનું શું થશે? બીજેપી તો નીપટી ગઈ. રાકેશ ટિકૈતે આ ટિપ્પણી એબીપી ન્યુઝના એક કાર્યક્રમમાં કરી.
રાકેશ ટિકૈટે કહ્યું કે, તેમના (ભાજપ) સાંસદો નિવેદન આપી રહ્યા છે. બની શકે કે તેઓ આમાં જનતાનો અભિપ્રાય શોધી રહ્યા હોય, જો કે જેમાં 750 ખેડૂતો શહીદ થયા હતા તે કાયદો લાવવાની હિંમત કોઈ સરકારમાં નહીં હોય. સરકાર આવુ કરશે તો દેશનો દરેક બાળક આંદોલન માટે તૈયાર છે અને તે આ વાત સારી રીતે જાણે છે.
રાકેશ ટિકૈતે દાવો કર્યો કે સત્તાના લોકો હોય કે બહારના લોકો, તે ભલે કેમેરા પર ન કહે પરંતુ તેઓ આ કાયદાની વિરુદ્ધમાં છે. દેશમાં ખેડૂત સંગઠનો મજબૂત છે. તે જ્યાં જરૂર હોય ત્યાં વિરોધ કરે છે.
અહીં રાકેશ ટિકૈતે કહ્યું કે, બીજેપી શાતિર પાર્ટી છે. એક વ્યક્તિ પાસે નિવેદન અપાવ્યુ અને તેને અંગત ગણાવ્યુ. જો કે અડવાણી અને મુરલી મનોહર જોષીને બોલવાનો અધિકાર નથી. આ બધો બીજેપીનો એજન્ડા છે. પબ્લિક ઓપિનિયન માટે આવા નિવેદનો અપાવી રહી છે.
અભિનેત્રીમાંથી સંસદ બનેલી કંગના રનૌતે મોદી સરકાર દ્વારા રદ્દ કરાયેલા ત્રણ કૃષિ કાયદાને પરત કરવાની માંગ કરી છે, આ પછી મોટો વિવાદ સર્જાયો છે. કંગનાનું આ નિવેદન બીજેપી માટે મોટી મુશ્કેલી સર્જી શકે છે.












Click it and Unblock the Notifications
