"મમતાને શરમ આવતી હોય તો સમુદ્રમાં જઇને ડૂબી મરે.."
મમતા બેનર્જીએ ગુરૂવારે બૌદ્ધ ધર્મના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, બધા ધર્મના લોકોએ શાંતિ જાળવી રાખવી જોઇએ. તલવાર લઇને લોકોને ડરાવવા ન જોઇએ. શરમની વાત છે કે મારો જન્મ આ ધરતી પર થયો.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, મારો જન્મ ભારતમાં થયો છે, એ કહેતા મને શરમ આવે છે. મમતા બેનર્જીના આ નિવેદન પર હરિયાણા સરકારના મંત્રી અનિલ વિજે હુમલો કર્યો છે. અનિલ વિજે કહ્યું કે, મમતા બેનર્જીને જો એ વાતે શરમ આવતી હોય કે તેમનો જન્મ ભારતમાં થયો છે તો પશ્ચિમ બંગાળની નજીક સમુદ્ર પણ છે, તેમાં જઇને ડૂબી મરે.

અનિલ વિજે કહ્યું કે, દેશવાસી હોવા છતાં એક મુખ્યમંત્રીને આ વાતે શરમ આવે તે અચરજની વાત કહેવાય. મમતા બેનર્જીએ ગુરૂવારે બૌદ્ધ ધર્મના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, બધા ધર્મના લોકોએ શાંતિ રાખવી જોઇએ. તલવાર લઇને લોકોને ડરાવવા ન જોઇએ. શરમની વાત છે કે મારો જન્મ આ ધરતી પર થયો.
તેમણે આગળ કહ્યું હતું કે, ડરાવી-ધમકાવીને મને ચૂપ નહીં કરી શકે કોઇ. બિહાર, મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યો ભલે ચૂપ રહે, પરંતુ પશ્ચિમ બંગાળ પોતાની લડાઇ અને વિરોધ નહીં રોકે, ભલે ગમે તે થઇ જાય. માત્ર પશ્ચિમ બંગાળ જ સાંપ્રદાયિક રાજકારણ અને અસહિષ્ણુતા સામે લડી દેશને બચાવી શકે છે. તેમણે આ વાતો ભાજપને વિભાજનકારી રાજકારણ કરતી પાર્ટી ગણાવતાં આ વાત કહી હતી.
{promotion-urls}
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
