Hathras Black Magic : યોગી રાજમાં બાળકો પણ સલામત નથી, શાળામાં જ 9 વર્ષના બાળકની બલિ આપીને હત્યા કરાઈ
હાથરસમાં આવેલી ડીએલ પબ્લિક સ્કૂલમે પ્રતિષ્ઠા વધારવા કાળા જાદુની વિધિમાં નવ વર્ષના વિદ્યાર્થીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનાએ દેશને ફરી એક વખત વિચારતો કરી મુક્યો છે.
Hathras Black Magic : ઉત્તર પ્રદેશનું હાથરસ ફરી એક વખત ચર્ચામાં છે. અહીં એક કરૂણ ઘટનામાં પોલીસે કાળા જાદુનો ખુલાસો કરતા દેશ હચમચી ગયો છે.
હાથરસમાં આવેલી ડીએલ પબ્લિક સ્કૂલમે પ્રતિષ્ઠા વધારવા કાળા જાદુની વિધિમાં નવ વર્ષના વિદ્યાર્થીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનાએ દેશને ફરી એક વખત વિચારતો કરી મુક્યો છે.

પોલીસેઆ ભયાનક કૃત્ય કરવા બદલ શાળાના ડિરેક્ટર અને તેના પિતા સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. આ બર્બર હત્યા પાછળનો હેતુ એક ગેરમાર્ગે દોરેલી માન્યતા હતી કે આવા બલિદાનથી શૈક્ષણિક સંસ્થાની સમૃદ્ધિ આવશે.
મૃતક વિદ્યાર્થી બીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. આ આઘાતજનક ઘટના પ્રકાશમાં આવ્યા બાદ દેશમાં ચાલી રહેલી અંધશ્રદ્ધા અને શિક્ષણજગતની સ્થિતીને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે.
મૃતક વિદ્યાર્થી કૃતાર્થ ગુમ થવા અને ત્યારપછીની હત્યાના ખુલાસાએ લોકોને વિચારતા કરી દીધા છે. આ ઘટના કાળા જાદુમાંની માન્યતા દ્વારા પ્રેરિત દુરાચારની ઊંડાઈને રેખાંકિત કરે છે.
આ ઘટનામાં સૌથી ચૌકાવનારી બાબત એ છે કે આરોપીઓએ કૃતાર્થના પરિવારને જાણ કરી હતી કે છોકરો બીમાર પડ્યો હતો. આમાં પરિવારે પોલીસને જાણ કરતા પોસ્ટમોર્ટમમાં મૃત્યુના કારણ તરીકે ગળું દબાવવાની પુષ્ટિ કરી હતી, તેની ગરદનની આસપાસ સ્પષ્ટ ઈજાના નિશાન હતા, જે પૂર્વયોજિત હત્યા તરફ ઈશારો કરતા છે.
આ દુર્ઘટનાએ માત્ર કૃતાર્થના પરિવાર જ નહીં સમગ્ર દેશમાં કાળા જાદુની ઉપસ્થિતી તરફ લોકોનું ધ્યાન દોર્યુ છે. આ ઘટનાએ શૈક્ષણિક જગતમાં બાળકોની સલામતી પર પણ મોટા સવાલ ઉભા કર્યા છે.
પોલીસે આ ઘટનામાં આરોપીઓ રામપ્રકાશ, દિનેશ બઘેલ, જશોધન ઉર્ફે ભગત, લક્ષ્મણ સિંહ અને વીરપાલની ધરપકડ કરી છે. આ તમામ ઉત્તર પ્રદેશના અને આ ઘટનાને અંજામ આપવા માટે જવાબદાર છે.
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ હુમલાખોરોનો આવા જઘન્ય કૃત્યનો આ પહેલો પ્રયાસ નહોતો, અગાઉ અન્ય એક છોકરાની હત્યાનો નિષ્ફળ પ્રયાસ પ્રકાશમાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
