હાથરસ કેસમાં નવો ખુલાસો, સતત ટચમાં હતા પીડિતા અને આરોપી, 104 વાર થઈ હતી વાત
યુપી પોલિસની તપાસમાં જાણવા મળ્યુ છે કે 19 વર્ષીય પીડિતા કેસના મુખ્ય આરોપી સાથે સતત સંપર્કમાં હતી.
હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસસમાં ગઈ 14 સપ્ટેમ્બરે થયેલ 19 વર્ષીય દલિત યુવતીના ગેંગરેપ અને હત્યાએ આખા દેશને હચમચાવી દીધો છે. કેસની તપાસ એસઆઈટી કરી રહી છે પરંતુ પરિવાર તરફથી સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે. યુપી પોલિસની તપાસમાં જાણવા મળ્યુ છે કે 19 વર્ષીય પીડિતા કેસના મુખ્ય આરોપી સાથે સતત સંપર્કમાં હતી. સપ્ટેમ્બરમાં દલિત મહિલા પર કથિત ગેંગરેપ અને જાનલેવા હુમલાના આ કેસમાં એ ગામનો સંદીપ સિંહ મુખ્ય આરોપી છે.

આરોપી અને પીડિત પરિવાર વચ્ચે 104 કૉલ
પોલિસના જણાવ્યા મુજબ તપાસમાં જાણવા મળ્યુ છે કે સંદીપને પીડિતાના ભાઈના નામથી એક નંબરથી નિયમિત કૉલ આવ્યા. પીડિતાના ભાઈના નંબર અને સંદીપના નંબર વચ્ચે 13 ઓક્ટોબર, 2019થી ટેલીફોનિક વાતચીત શરૂ થઈ. મોટાભાગના કૉલ ચંદપા ક્ષેત્રમાં સ્થિત અને સેલ ટૉવરોથી કરવામાં આવ્યા હતા જે પીડિતાના ગામ બુલગઢીથી 2 કિમી દૂર હતા. પોલિસના જણાવ્યા મુજબ પીડિત પરિવાર અને સંદીપ વચ્ચે ફોન પર વાતચીતનો સિલસિલો ગયા વર્ષે ઓક્ટોબરમાં શરૂ થયો. પીડિત પરિવાર અને આરોપી વચ્ચે 104 વાર ફોન પર વાતચીત થઈ.

62 કૉલ પીડિત પરિવાર તરફથી જ્યારે 42 કૉલ આરોપી સંદીપ તરફથી
પોલિસને જાણવા મળ્યુ કે આમાંથી 62 કૉલ પીડિત પરિવાર તરફથી કરવામાં આવ્યા છે જ્યારે 42 કૉલ આરોપી સંદીપ તરફથી કરવામાં આવ્યા હતા. યુપી પોલિસે પોતાની તપાસમાં જોયુ કે પીડિત પરિવાર અને આરોપી સંદીપ વચ્ચે નિયમિત સમયાંતરે વાત થઈ. આરોપી સંદીપને કૉલ પીડિતાના ભાઈ તરફથી કરવામાં આવી હતી. આ દરમિયાન સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની તપાસ પણ અંતિમ દોરમાં છે. એસઆઈટી પોતાનો રિપોર્ટ બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપી શકે છે. ગૃહ સચિવ ભગવાન સ્વરૂપની આગેવાનીમાં ડીઆઈજી ચંદ્રપ્રકાશ અને એસપી પૂનમે કેસની તપાસ કરી છે.

જાણો હાથરસની ઘટના વિશે
હાથરસની ઘટના 14 સપ્ટેમ્બરે થઈ હતી. પીડિતા ખેતરમાં કામ કરી હતી ત્યારે આરોપી કથિત રીતે તેેને ખેંચીને બાજુના ખેતરમાં લઈ ગયો અને તેના પર હુમલો કરી દીધો. પરિવારનો આરોપ છે કે પીડિતા સાથે ગેંગરેપ કર્યા બાદ બેરહેમીથી તેને મારી દેવામાં આવી હતી. ઘટના બાદ ગંભીર ઈજા સાથે તેને અલીગઢની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. પીડિતાના ગરદન અને મણકાનુ હાડકુ તૂટી ગયુ હતુ. ત્યારબાદ તેને દિલ્લી શિફ્ટ કરવામાં આવી જ્યાં તેણે 29 સપ્ટેમ્બરે દમ તોડી દીધો. યુપી પોલિસ રાતે મૃતકને શબને વિવાદાસ્પત રીતે અંતિમ સંસ્કાર કરી દીધા. પરિવારનુ કહેવુ છે કે અંતિમ સંસ્કાર પહેલા પોલિસે તેમની સંમતિ લીધી નહોતી.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
