સીએમ કુમારસ્વામીઃ “અમે મોદી-શાહના અશ્વમેઘ ઘોડાને બાંધી દીધો”
વિપક્ષી નેતાઓની આટલી મોટી સંખ્યામાં હાજરી બાદ કુમારસ્વામીએ કહ્યુ કે ભાજપે 12 વર્ષ સુધી મારો ઉપયોગ કર્યો.
કર્ણાટકમાં ત્રીજા નંબરે રહ્યા બાદ પણ જે રીતે જેડીએસ કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવામાં સફળ રહી અને એચડી કુમારસ્વામી પ્રદેશના મુખ્યમંત્રી બન્યા તે બાદ તે ઘણા ઉત્સાહિત છે. કુમારસ્વામીના શપથગ્રહણ સમારંભમાં મોટી સંખ્યામાં વિપક્ષી દળોના નેતા એકસાથે પહેલી વાર મંચ પર દેખાયા. વિપક્ષી નેતાઓની આટલી મોટી સંખ્યામાં હાજરી બાદ કુમારસ્વામીએ કહ્યુ કે ભાજપે 12 વર્ષ સુધી મારો ઉપયોગ કર્યો.

અમે મોદી-શાહના અશ્વમેઘ ઘોડાને બાંધી દીધો
કુમારસ્વામીએ શપથગ્રહણ બાદ કહ્યુ કે મે ઉત્તરપ્રદેશની ચૂંટણી બાદ કહ્યુ હતુ કે મારુ લક્ષ્ય છે નરેન્દ્ર મોદી અને અમિત શાહના અશ્વમેઘ ઘોડાને બાંધવો. કોંગ્રેસ અને જેડીએસ એ તેને પકડી લીધો છે અને બાંધી દીધો છે. હવે આ બેજાન અશ્વમેઘ જલ્દી મોદી પાસે જઈ શકે છે. તમને જણાવી દઈએ કે પ્રાચીન પરંપરા અનુસાર રાજા અશ્વમેઘ ઘોડાને છોડતા જેને કોઈ રોકી શકતુ નહિ અને જે પણ રોકે તેને રાજા સાથે યુદ્ધ કરવુ પડતુ.

2019 મોટી ચુનોતી હશે
શપથ ગ્રહણમાં જે રીતે મોટી સંખ્યામાં વિપક્ષી દળોના નેતા પહોંચ્યા તેના પર કુમારસ્વામીએ કહ્યુ કે આ ઐતિહાસિક છે કે એકસાથે આટલા નેતા મુખ્યમંત્રીના શપથગ્રહણમાં પહોંચ્યા છે. આ નેતા મને સમર્થન આપવા નથી આવ્યા પરંતુ આ લોકો એ સંદેશ આપવા આવ્યા છે કે 2019માં ચુનોતી મોટી હશે. તેમનું માનવુ છે કે દેશને બચાવવા માટે 2019માં કોંગ્રેસ સાથે એકજૂટ થવાની જરૂર છે. જે રીતે આટલા મોટા સ્તર પર વિપક્ષ નેતા એકજૂટ થયા છે તે બાદ માનવામાં આવી રહ્યુ છે કે સ્થાનિક નેતા મમતા બેનર્જી, ચંદ્રાબાબુ નાયડુ, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ અને માયાવતી કોંગ્રેસ સાથે એકજૂટ થઈ શકે છે.

મમતા બેનર્જી સાથે થઈ વાત
કુમારસ્વામીએ કહ્યુ કે મંગળવારે તેમની મમતા બેનર્જી સાથે વાત થઈ હતી કે જે સ્થાનિક રીતે એકજૂટ થવાની વાત કરતા રહ્યા છે. તેમણે જેડીએસના મુખિયા એચડી દેવગૌડાને ભાજપ સામે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા પર અભિનંદન આપ્યા. ભવિષ્યની રાજનીતિમાં અમે કેવી રીતે પોતાનુ યોગદાન આપી શકીએ છીએ તે અંગે તેમણે સૂચનો કર્યા. તમને જણાવી દઈએ કે યેદુરપ્પાના રાજીનામા બાદ જેડીએસ-કોંગ્રેસની સરકારે બુધવારે શપથ ગ્રહણ કર્યા હતા.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી









Click it and Unblock the Notifications
