બચો, તપતા સૂરજથી, હીટ સ્ટ્રોક લોકોને મારી રહ્યો છે
આજે સમગ્ર દેશમાં સૂરજ આગ ફૂંકી રહ્યો છે. સવારના 6 વાગ્યાથી જ આ ગરમી શરૂ થઇ જાય છે અને રાતે 6 વાગ્યા સુધી પણ તેમાં કોઇ રાહત નથી. વધુમાં બપોરે બહાર જવું હોય તો પણ સો વાર વિચારવું પડે છે. અને એસી નીચે પણ પરસેવો લૂંછવો પડે તેવી હાલત થઇ રહી છે.
એટલું જ નહીં કપડું નાખ્યા વગર દિવસના કોઇ પણ સમયે બહાર જવું લોકો માટે મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે એક રિપોર્ટ મુજબ દેશભરમાં હીટ સ્ટ્રોકના કારણે 800 લોકોના પ્રાણ અત્યાર સુધીમાં ગયા છે.
ત્યારે આ હીટ સ્ટ્રોકની કેટલીક ખાસ માહિતીઓ આજે અમે તમને જાણાવીશું આ ફોટોસ્લાઇડરમાં. તો જુઓ આ ફોટોસ્લાઇડર...
કાળજાળ ગરમી
ગર્મીના કારણે આંધ્ર પ્રદેશમાં અત્યાર સુધી 550 લોકો અને તેલંગાનામાં 200 લોકોની મોત થઇ છે.
દર વર્ષે આવે છે હીટ સ્ટ્રોક
ભારતમાં દર વર્ષે હીટ સ્ટ્રોકથી મોટી સંખ્યામાં લોકો પોતાનો જીવ ગુમાવે છે. જ્યારે પારો 40 ડિગ્રીથી ઉપર થઇ જાય છે ત્યારે હીટ સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.
47 ડિગ્રી
તેલાગાંનાના ખમ્મમ જિલ્લામાં પાછલા દિવસોમાં તાપમાનનો પારો 47 ડિગ્રીથી ઉપર જતો રહ્યો હતો.
10 વર્ષનો રેકોર્ડ
ભારતમાં પાછલા 10 વર્ષોમાં હીટ સ્ટ્રોકથી 9,734 લોકોની મોત થઇ ચૂકી છે.
પંજાબ
હીટ સ્ટ્રોકના કારણે 2013માં પંજાબમાં 144 લોકો અને ઉત્તર પ્રદેશમાં 108 લોકોની મોત થઇ હતી.
હીટ સ્ટ્રોક
જાણકારોના મતે કેટલીક વાર હીટ સ્ટ્રોકના કારણે થનારી મોત અંગે ખબર નથી પડતી.
અમદાવાદ
વર્ષ 2010માં અમદાવાદમાં હીટ સ્ટ્રોકના કારણે મરવા વાળા લોકોની સંખ્યામાં 43 ટકાનો વધારો થયો હતો.
ઓડિસ્સા
હવામાન વિભાગનું કહેવું છે કે ઓડિસ્સા, મધ્યપ્રદેશમાં આવનારા દિવસોમાં ગરમી વધુ તેજ થશે.
દિલ્હી
દિલ્હી અને એનસીઆરમાં પણ હાલ ગરમી વધી છે. પારો 44 ડિગ્રીની આસપાસ રહે છે. વધુમાં છેલ્લા બે દિવસમાં લૂના કારણે 5 લોકોની મોત થઇ છે.
કોઇ રાહત નહી
હરિયાણા, પંજાબ, દિલ્હી સમતે ઉત્તર પ્રદેશમાં આવનાર સમયમાં ગર્મીમાં કોઇ રાહત નથી થવાની તેવું હવામાન વિભાગનું કહેવું છે.