કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, હવામાં સંતુલન ગુમાવતા છોડવું પડ્યું
Helicopter crash in Kedarnath: ઉત્તરાખંડના કેદારનાથમાં હેલિકોપ્ટર અકસ્માતની ઘટના સામે આવી છે. કેદારનાથમાં હેલિકોપ્ટરને એરલિફ્ટ કરી રહેલું MI-17 એરક્રાફ્ટ અકસ્માતનો ભોગ બન્યું છે.
હેલિકોપ્ટરના ભારે વજનને કારણે, MI-17 સંતુલન ગુમાવી રહ્યું હતું, જેના કારણે હેલિકોપ્ટરને હવામાં જ છોડી દેવાની ફરજ પડી હતી. જેના કારણે હેલિકોપ્ટર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું.
ઉલ્લેખનીય છે કે, જે હેલિકોપ્ટરને એરલિફ્ટ કરવામાં આવી રહ્યું હતું, તેને રિપેર કરવાનું હતું, પરંતુ રિપેર કરવા લઈ જતા સમયે તે કેદારનાથમાં ક્રેશ થયું હતું.

ટેક્નિકલ ખામીના કારણે આ હેલિકોપ્ટરને 24 મે, 2024ના રોજ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જે બાદ તેને એરલિફ્ટ કરીને રિપેરિંગ માટે લઈ જવામાં આવી રહ્યું હતું.
જિલ્લા પ્રવાસન અધિકારી રાહુલ ચૌબેએ જણાવ્યું કે, એમઆઈ-17 એરક્રાફ્ટની મદદથી શનિવારના રોજ ગૌચર એરસ્ટ્રીપથી હેલિકોપ્ટરને લઈ જવાની યોજના હતી, પરંતુ હેલિકોપ્ટરના વજન અને હવાના દબાણને કારણે એરક્રાફ્ટ પોતાનું સંતુલન ગુમાવવા લાગ્યું હતું.
જેના કારણે હેલિકોપ્ટરને થારુ કેમ્પ પાસે છોડવું પડ્યું હતું. આ હેલિકોપ્ટરમાં કોઈ મુસાફરો કે સામાન ન હતો. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ ટીમ પરિસ્થિતિની તપાસ કરી રહી છે.
#WATCH | Uttarakhand | While bringing a faulty helicopter from Kedarnath with another helicopter, the helicopter broke down and crashed. There is no loss of life, search operation of SDRF continues: SDRF
— ANI (@ANI) August 31, 2024
(Visuals Source: SDRF) pic.twitter.com/fzUEhHgRFH
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
