કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, હવામાં સંતુલન ગુમાવતા છોડવું પડ્યું

Helicopter crash in Kedarnath: ઉત્તરાખંડના કેદારનાથમાં હેલિકોપ્ટર અકસ્માતની ઘટના સામે આવી છે. કેદારનાથમાં હેલિકોપ્ટરને એરલિફ્ટ કરી રહેલું MI-17 એરક્રાફ્ટ અકસ્માતનો ભોગ બન્યું છે.

હેલિકોપ્ટરના ભારે વજનને કારણે, MI-17 સંતુલન ગુમાવી રહ્યું હતું, જેના કારણે હેલિકોપ્ટરને હવામાં જ છોડી દેવાની ફરજ પડી હતી. જેના કારણે હેલિકોપ્ટર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, જે હેલિકોપ્ટરને એરલિફ્ટ કરવામાં આવી રહ્યું હતું, તેને રિપેર કરવાનું હતું, પરંતુ રિપેર કરવા લઈ જતા સમયે તે કેદારનાથમાં ક્રેશ થયું હતું.

Helicopter crash in Kedarnath

ટેક્નિકલ ખામીના કારણે આ હેલિકોપ્ટરને 24 મે, 2024ના રોજ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જે બાદ તેને એરલિફ્ટ કરીને રિપેરિંગ માટે લઈ જવામાં આવી રહ્યું હતું.

જિલ્લા પ્રવાસન અધિકારી રાહુલ ચૌબેએ જણાવ્યું કે, એમઆઈ-17 એરક્રાફ્ટની મદદથી શનિવારના રોજ ગૌચર એરસ્ટ્રીપથી હેલિકોપ્ટરને લઈ જવાની યોજના હતી, પરંતુ હેલિકોપ્ટરના વજન અને હવાના દબાણને કારણે એરક્રાફ્ટ પોતાનું સંતુલન ગુમાવવા લાગ્યું હતું.

જેના કારણે હેલિકોપ્ટરને થારુ કેમ્પ પાસે છોડવું પડ્યું હતું. આ હેલિકોપ્ટરમાં કોઈ મુસાફરો કે સામાન ન હતો. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ ટીમ પરિસ્થિતિની તપાસ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X