કેજરીવાલ ખેડૂતોની આવક ડબલ કરવાનો આઈડિયા લઈને આવ્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખેડૂતોની આવક ડબલ કરવાનો એક નવો આઈડિયા લઈને આવ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખેડૂતોની આવક ડબલ કરવાનો એક નવો આઈડિયા લઈને આવ્યા છે. મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી ઘ્વારા જાહેર કરવામાં આવ્યું કે તેઓ એક પ્રાઇવેટ કંપનીને દિલ્હીની કૃષિ યોગ્ય જમીન પર સોલાર પેનલ લગાવવા માટે પરમિશન આપશે. જેના ઘ્વારા ખેડૂત એક લાખ રૂપિયા પ્રતિ એકડ કમાણી કરી શકશે. તેમને આ મોડલને એક આદર્શ મોડલ ગણાવતા કહ્યું કે તેને આખા દેશમાં લાગુ કરવામાં આવી શકે છે, જેના ઘ્વારા ખેડૂતોની આવક ડબલ કરી શકાય છે.

9 મહિનામાં લાગુ થશે
દિલ્હી સરકારની કેબિનેટ ઘ્વારા આ નિર્ણય મંગળવારે લેવામાં આવ્યો. આ નિર્ણય ઘ્વારા પાર્ટીની ગ્રામીણ વોટ બેંક ચોક્કસ મજબૂત થશે. આ યોજનાને 9 મહિનામાં પ્રદેશમાં લાગુ કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ આ વિભાગ ઘ્વારા જે વીજળીનું ઉત્પાદન થશે તેને અલગ અલગ વિભાગ 4 રૂપિયા પ્રતિ યુનિટ હિસાબે ખરીદશે.

આવક ડબલ થશે
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ સોલાર પેનલ 3.5 મીટરની ઉંચાઈ પર લગાવવામાં આવશે જેથી કૃષિને કોઈ પણ અસર નહીં થાય. હાલમાં ખેડૂત 30 હજાર રૂપિયા પ્રતિ વર્ષ કમાય છે પરંતુ આ યોજના પછી તેમની આવક ત્રણ ચાર ગણી વધી જશે. આપણે જણાવી દઈએ કે દિલ્હીનો મોટાભાગનો વિસ્તાર અર્બન વિસ્તારમાં આવે છે. અહીં લગભગ 34700 હેક્ટર જમીન ફળદ્રુપ છે.

દેશભરમાં લાગુ થઇ શકે છે
આર્થિક સર્વે અનુસાર હાલમાં 0.71 ટકા વસ્તી ખેતી સાથે જોડાયેલી છે. સરકારના ગ્રીન બજેટ અનુસાર ખેડૂતોને આ સોલાર પેનલ માટે કોઈ પણ પ્રકારની ચુકવણી નહીં કરવી પડે. આ યોજનાને કારણે ક્લીન એનર્જી અભિયાનને બળ મળશે. દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈન ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ યોજના આખા દેશ માટે એક આદર્શ યોજના બની શકે છે. આ યોજના માટે દિલ્હીમાં પહેલાથી જ 5 પ્રાઇવેટ કંપનીઓ ઘ્વારા આવેદન આપી દેવામાં આવ્યું છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
