કેજરીવાલ ખેડૂતોની આવક ડબલ કરવાનો આઈડિયા લઈને આવ્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખેડૂતોની આવક ડબલ કરવાનો એક નવો આઈડિયા લઈને આવ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખેડૂતોની આવક ડબલ કરવાનો એક નવો આઈડિયા લઈને આવ્યા છે. મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી ઘ્વારા જાહેર કરવામાં આવ્યું કે તેઓ એક પ્રાઇવેટ કંપનીને દિલ્હીની કૃષિ યોગ્ય જમીન પર સોલાર પેનલ લગાવવા માટે પરમિશન આપશે. જેના ઘ્વારા ખેડૂત એક લાખ રૂપિયા પ્રતિ એકડ કમાણી કરી શકશે. તેમને આ મોડલને એક આદર્શ મોડલ ગણાવતા કહ્યું કે તેને આખા દેશમાં લાગુ કરવામાં આવી શકે છે, જેના ઘ્વારા ખેડૂતોની આવક ડબલ કરી શકાય છે.

9 મહિનામાં લાગુ થશે
દિલ્હી સરકારની કેબિનેટ ઘ્વારા આ નિર્ણય મંગળવારે લેવામાં આવ્યો. આ નિર્ણય ઘ્વારા પાર્ટીની ગ્રામીણ વોટ બેંક ચોક્કસ મજબૂત થશે. આ યોજનાને 9 મહિનામાં પ્રદેશમાં લાગુ કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ આ વિભાગ ઘ્વારા જે વીજળીનું ઉત્પાદન થશે તેને અલગ અલગ વિભાગ 4 રૂપિયા પ્રતિ યુનિટ હિસાબે ખરીદશે.

આવક ડબલ થશે
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ સોલાર પેનલ 3.5 મીટરની ઉંચાઈ પર લગાવવામાં આવશે જેથી કૃષિને કોઈ પણ અસર નહીં થાય. હાલમાં ખેડૂત 30 હજાર રૂપિયા પ્રતિ વર્ષ કમાય છે પરંતુ આ યોજના પછી તેમની આવક ત્રણ ચાર ગણી વધી જશે. આપણે જણાવી દઈએ કે દિલ્હીનો મોટાભાગનો વિસ્તાર અર્બન વિસ્તારમાં આવે છે. અહીં લગભગ 34700 હેક્ટર જમીન ફળદ્રુપ છે.

દેશભરમાં લાગુ થઇ શકે છે
આર્થિક સર્વે અનુસાર હાલમાં 0.71 ટકા વસ્તી ખેતી સાથે જોડાયેલી છે. સરકારના ગ્રીન બજેટ અનુસાર ખેડૂતોને આ સોલાર પેનલ માટે કોઈ પણ પ્રકારની ચુકવણી નહીં કરવી પડે. આ યોજનાને કારણે ક્લીન એનર્જી અભિયાનને બળ મળશે. દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈન ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ યોજના આખા દેશ માટે એક આદર્શ યોજના બની શકે છે. આ યોજના માટે દિલ્હીમાં પહેલાથી જ 5 પ્રાઇવેટ કંપનીઓ ઘ્વારા આવેદન આપી દેવામાં આવ્યું છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
