હરિયાણાઃ BJP અને JJP વચ્ચે કરાર, જાણો અંદરની 10 મોટી વાતો
હરિયાણાઃ BJP અને JJP વચ્ચે કરાર, જાણો અંદરની 10 મોટી વાતો
હરિયાણામાં નવા નેતા તરીકે દુષ્યંત ચૌટાલા ઉભરી આવ્યા છે. સવાલ એ છે કે દેવીલાલનના વારસાનો અસલી વારસદાર કોણ છે? હાલની ચૂંટણીમાં INLDના જે હાલ થયા છે અને જનનાયક જનતા પાર્ટી જેવી રીતે નવી તાકાત બનીને ઉભરી આવી છે, તેને જોતા માનવામાં આવી રહ્યું છે કે દેવીલાલનો વારસો તેમના જ હાથોમાં છે. આ સમગ્ર રાજનીતિમાં જેજેપી એક નવી તાકાત અને દુષ્યંત ચૌટાલા એક નવા નેતા તરીકે ઉભરી આવ્યા છે. હવે આ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે દેવીલાલનો વારસો તેમના હાથમાં છે. શુક્રવારે સવારે દુષ્યંત ચૌટાલાને ધારાસભ્યોએ પોતાના નેતા ચૂંટ્યા. જે બાદ દુષ્યંત તિહાર જેલમાં બંધ પોતાના પિતા અજય ચૌટાલાને મળ્યા.

દુષ્યંત અગાઉ આઈએનએલડીની ટિકિટ પર હિસારથી સાંસદ રહી ચૂક્યા છે. પરંતુ 2018ની ટૂટ બાદ તેમણે જનનાયક જનતા પાર્ટીની રચના કરી. તેમને જમીની નેતા માનવામાં આવે છે જેમનો લોકો અને કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક છે. દુષ્યંતની પાર્ટીને 15 ટકા વોટ મળ્યા છે, જેમાં મોટી તાદાતમાં યુવાઓના વોટ સામેલ માનવામાં આવી રહ્યા છે. જો કે હરિયાણાની હાલની રાજનીતિમાં 10 ધારાસભ્યો સાથે પોતાનું પહેલું પગલું નક્કી કરવું દુષ્યંત માટે સહેલું નથી. જેજેપીના સમર્થન બાદ હરિયાણાની વિધાનસભામાં ભાજપ ગઠબંધન પાસે કુલ 59 સીટ થઈ જશે જે બહુમતથી ક્યાંય વધુ છે.
10 મોટી વાત
- શુક્રવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ ભાજપ અમિત શાહ સાથે મનોહર લાલ ખટ્ટર અને દુષ્યંત ચૌટાલાને લઈ આવ્યું અને સ્પષ્ટ કર્યું કે હરિયાણાના જનાદેશ મુજબ ભાજપ અને જેજેપી મળીને સરકાર બનાવશે. નાયબ મુખ્યમંત્રી જેજેપીના હશે.
- જો કે સવારથી રાજકીય ગરમાવો ચાલતો રહ્યો. પહેલા ભાજપે 8 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન હોવાનું એલાન કર્યું હતું.
- પછી ગોપાલ કાંડા પર કિરકિરી થતાં કાંડાના સમર્થનથી પાછીપેની કરતી જોવા મળી અને અંતમાં જેજેપી સાથે જવાનો ફેસલો કર્યો.
- દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે રાષ્ટ્રીય કાર્યકારિણીએ મને અધિકૃત કર્યો છે, 'કૉમન મિનિમમ પ્રોગ્રામ' અંતર્ગત વૃદ્ધ પેંશન અને બીજી માંગો પર જે દળ સહમત હશે તેની સાથે જેજેપી જશે અને સરકાર બનાવવામાં મદદ કરશે.
- ચૌટાલાએ કહ્યું કે અમે હરિયાણાને આગળ લઈ જવા માટે અમે પૉઝિટિવ છીએ. ક્રાઈમ કંટ્રોલ થાય. યુવાઓને રોજગારી અમારી પ્રાથમિકતા છે. યુવાઓને રોજગાર અને પેંશન પણ અમારી પ્રાથમિકતા છે.
- દુષ્યંત ચૌટાલાએ એમ પણ કહ્યં કે બહારથી સમર્થનનો તો કોઈ મતલબ જ નથી. જો કોઈ પાર્ટીને સપોર્ટ કરશે તો સરકારમાં અંદર રહેશે.
- અગાઉ મોડી સાંડે બેઠકોનો સિલસિલો ચાલ્યો હતો. અમિત શાહના ઘરે પહેલા ભાજપી નેતા બેઠા અને પછી અનુરાગ ઠાકુર સાથે દુષ્યંત ચૌટાલા આવ્યા.
- જેજેપીએ સરકારમાં સામેલ થવાની પોતાની શરત પહેલાથી જ રાખી હતી કે નાયબ મુખઅયમંત્રી પદ સહિત ત્રણ મંત્રી પદ જોઈએ. ભાજપે આ માંગ માની લીધી.
- ભાજપે કહ્યું કે અપક્ષ ધારાસભ્યો પણ તેમની સાથે રહેશે. પરંતુ એ ન જણાવ્યું કે ગોપાલ કાંડાનું શું થશે.
આ પણ વાંચો- હરિયાણામાં ભાજપ-JJPની સરકાર, ચૌટાલાની પાર્ટીના ડેપ્યૂટી સીએમ
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
