For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રને નામ સંબોધનની મોટી વાતો

ભારતમાં કોરોના વાયરસના પ્રકોપને જોતા પીએંમ મોદીએ આજે રાષ્ટ્રને સંબેધિત કર્યા. આવો જાણીએ એક નજરમાં તેમના ભાષણી મોટી વાતો..

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસના સતત વધતા કેસોને જોતા કેન્દ્ર અને રાજ્ય સરકારો યુદ્ધના સ્તરે કામ કરી રહી છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ ભારતમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા વધીને 173 થઈ ગઈ છે. આમાં 25 વિદેશી પણ શામેલ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોના વાયરસના સૌથી વધુ 44 કેસ સામે આવ્યા છે. આ મહામારીથી ચાર લોકોના મોત નીપજ્યા છે. ભારતમાં કોરોના વાયરસના પ્રકોપને જોતા પીએંમ મોદીએ આજે રાષ્ટ્રને સંબેધિત કર્યા. આવો જાણીએ એક નજરમાં તેમના ભાષણી મોટી વાતો..

Pm modi
  • પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ, બે વિશ્વ યુદ્ધોમાં પણ આટલા દેશ પ્રભાવિત નહોતા થયા જેટલા કોરોના વાયરસથી થયા છે.
  • દેશવાસીઓએ કોરોના વાયરનો જોરદાર મુકાબલો કર્યોઃ પીએમ મોદી
  • દેશવાસીઓ પાસે જ્યારે પણ કંઈ માંગ્યુ છે તો તેમણે ક્યારેય નિરાશ નથી કર્યો, મને તમારા આવનારા થોડા સપ્તાહ જોઈએ તમારો સમય જોઈએઃ પીએમ મોદી
  • પીએમ મોદીએ કહ્યુ, અત્યાર સુધી વિજ્ઞાન કોરોના મહામારીથી બચવા માટે કોઈ નિશ્ચિત ઉપાય નથી શોધી શકી અને ના કોઈ વેક્સીન બની શકી છે. આવી સ્થિતિમાં ચિંતા વધવી સ્વાભાવિક છે.
  • પીએમ મોદીએ દેશને કહ્યુ, આ વૈશ્વિક મહામારીનો મુકાબલો કરવા માટે બે મુખ્ય વાતોની જરૂર છે. પહેલી સંકલ્પ અને બીજુ સંયમ.
  • આજે મોટા મોટા અને વિકસિત દેશોમાં આપણે કોરોના મહામારીનો વ્યાપક પ્રભાવ જોઈ રહ્યા છે તો ભારત પર આનો કોઈ પ્રભાવ નહિ પડે એ માનવુ ખોટુ છે.
  • મારો વધુ એક આગ્રહ છે કે આપણા પરિવારમાં જે સીનિયર સીટીઝન્સ છે 65 વર્ષની વયની ઉપરના વ્યક્તિ હોય તો આવનારા અમુક સપ્તાહ સુધી ઘરની બહાર ન નીકળેઃ પીએમ મોદી
  • પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જનતા કર્ફ્યુનુ આહવાન કર્યુ છે. પીએમ મોદીએ કહ્યુ, હું આજે પ્રત્યેક દેશવાસી પાસે વધુ એક સમર્થન માંગુ છુ. એ છે જનતા કર્ફ્યુ, એટલે કે જનતા માટે, જનતા દ્વારા ખુદ પર લગાવવાં આવેલ કર્ફ્યુ.
  • પીએમ મોદીએ આગળ કહ્યુ, આ રવિવાર એટલે કે 22 માર્ચે સવારે 7 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી બધા દેશવાસીઓએ જનતા કર્ફ્યુનુ પાલન કરવાનુ છે.
  • પીએમ મોદીએ આગળ કહ્યુ કે 22 માર્ચે આપણો આ પ્રયાસ, આત્મ-સંયમ, દેશહિતમાં કર્તવ્ય પાલનના સંકલ્પનુ એક પ્રતીક હશે.
  • સંભવ હોય તો દરેક વ્યક્તિ કમસે કમ 10 લકોને ફોન કરીને કોરોના વાયરસના બચાવના ઉપાયો સાથે જ જનતા કર્ફ્યુ વિશે પણ જણાવે. સાથીઓ, આ જનતા કર્ફ્યુ એક પ્રકારે ભારત માટે એક પરીક્ષા જેવુ હશે.
  • પીએમ મોદીએ દેશને સંબોધિત કરીને આ મુશ્કેલીભરી સ્થિતિમાં શાંતિ જાળવવાની અપીલ કરી છે. પીએમે લોકોને કહ્યુ કે સામાન ભેગો કરવાની હોડ ના કરો, સામાનની કમી નહિ થાય. હું દેશવાસીઓને આના માટે આશ્વસ્ત કરવા માંગુ છુ કે દેશમાં દૂધ, ભોજનનો સામાન, દવાઓ, જીવન જરૂરી વસ્તુઓની કમી ન થાય તે માટે દરેક જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે.
English summary
highlights of pm Narendra modi address to nation on coronavirus covid-19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X