હિમાચલમાં ચૂંટણી પહેલા AAPને મોટો ઝટકો, પ્રદેશ અધ્યક્ષ સહિત ઘણા નેતા બીજેપીમાં જોડાયા
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જોરદાર જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. જો કે, હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. શનિવારે આમ આ
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જોરદાર જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. જો કે, હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. શનિવારે આમ આદમી પાર્ટીના હિમાચલ પ્રદેશ અધ્યક્ષ અનૂપ કેસરી સહિત ઘણા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આમ આદમી પાર્ટી છોડીને આવેલા આ નેતાઓને પાર્ટીની સદસ્યતા આપી હતી.
હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અનૂપ કેસરી ઉપરાંત સંગઠન મહાસચિવ સતીશ ઠાકુર અને ઉના જિલ્લા પ્રમુખ ઈકબાલ સિંહે પણ ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ લીધું છે. ભાજપમાં જોડાયા બાદ અનૂપ કેસરીએ આરોપ લગાવ્યો કે તેમણે હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટીનું સંગઠન બનાવવા માટે ખૂબ મહેનત કરી, પરંતુ તાજેતરમાં જ્યારે મંડી જિલ્લામાં અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાયો ત્યારે ત્યાંના સ્થાનિક નેતાઓની સંપૂર્ણ અવગણના કરવામાં આવી. અનૂપ કેસરીએ કહ્યું કે રોડ શો દરમિયાન દિલ્હીથી આવેલા નેતાઓ પર જ ધ્યાન આપવામાં આવ્યું હતું અને હિમાચલના સ્થાનિક નેતાઓનું અપમાન કરવામાં આવ્યું હતું.