હિમાચલમાં સંકટ: 'કોંગ્રેસે જનાદેશ ગુમાવી દીધો છે, હવે અમારા ધારાસભ્યોની પાછળ પડ્યા છે...', જયરામ ઠાકુરનો દાવો
Himachal Pradesh News: હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સિંહ સુખુની સરકાર ખતરામાં છે. હિમાચલ વિધાનસભામાં આજે બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ દાવો કર્યો છે કે કોંગ્રેસ સરકારે તેના ધારાસભ્યોનો વિશ્વાસ ગુમાવ્યો છે.
ભાજપનું પ્રતિનિધિમંડળ આજે રાજ્યપાલને મળશે અને મતદાન દ્વારા બજેટ પસાર કરવાની માંગ કરશે. હિમાચલ પ્રદેશના એલઓપી જયરામ ઠાકુરે કહ્યું છે કે, "હું માત્ર એટલું કહેવા માંગુ છું કે કોંગ્રેસે જનાદેશ ગુમાવી દીધો છે."

જયરામ ઠાકુરે કહ્યું, "અમને શંકા છે કે વિધાનસભાના અધ્યક્ષ બજેટને આરામથી પસાર કરવા માટે ભાજપના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી શકે છે. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરનારા કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને નોટિસ મળી છે. ક્રૉસ વોટિંગ રાજ્યસભામાં અમાન્ય નથી. તે ચૂંટણી પંચની સૂચના મુજબ થાય છે. તાજેતરના અહેવાલ મુજબ, જયરામ ઠાકુરે બીજેપી વિધાયક દળ સાથે રાજભવન ખાતે રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા સાથે મુલાકાત કરી હતી.
રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાને મળ્યા બાદ ભાજપના ધારાસભ્ય વિપિન સિંહ પરમારે કહ્યું કે, ''અમે વિધાનસભાની અંદર સ્પીકરના વર્તનને લઈને રાજ્યપાલ સાથે વાત કરી છે. જ્યારે પણ કટ મોશન લાવવામાં આવે છે ત્યારે તેના પર ચર્ચા થાય છે અને કટ મોશન આવે છે. વિપક્ષનો અધિકાર છે. તેના જ આધારે મત વિભાજન થાય છે. જે રીતે વિપક્ષનો અવાજ દબાવવામાં આવ્યો, જ્યારે અમે સ્પીકરને આ કહેવા ગયા, ત્યારે અમારી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. જેને લઈને આજે અમે અહીં આવ્યા છીએ."
#WATCH | Himachal Pradesh LoP Jairam Thakur says, "...I just want to say that Congress has lost mandate." pic.twitter.com/DWIiBSSW67
— ANI (@ANI) February 28, 2024












Click it and Unblock the Notifications
