Hindenburg Report : હિંડનબર્ગના ખુલાસાને લઈને કોંગ્રેસના સરકારને આકરા સવાલ, જાણો શું કહ્યું?
અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગે સેબી અને ગૌતમ અદાણીની સાંઠગાંઠને લઈને મોટો ખૂલાસો કર્યા બાદ વિપક્ષી પાર્ટીઓ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવી રહી છે.
હવે કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર અને સેબીની નિષ્ક્રિયતાને લઈને આકરા સવાલ ઉઠાવ્યા છે અને આકરા શબ્દોમાં નિશાન સાધ્યુ છે.

અદાણી ગ્રૂપ અંગે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે સવાલ કર્યો કે, સુપ્રીમ કોર્ટના વારંવારના આદેશો છતાં સેબીએ તપાસમાં સક્રિયતા દાખવી. તેમણે આરોપ લગાવ્યો કે તાજેતરનો હિંડનબર્ગ રિપોર્ટ દર્શાવે છે કે મોદી સરકારે સેબીની પારદર્શિતાને નષ્ટ કરી છે.
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટનો ઉલ્લેખ કરતા સુપ્રિયા શ્રીનેતે સેબી સાથે કેન્દ્ર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, શું અદાણી કેસની તપાસ એટલા માટે કરવામાં ન આવી કારણ કે જે વ્યક્તિની તપાસ થવાની હતી તે કથિત કૌભાંડમાં સામેલ હતો?
સુપ્રીમ કોર્ટના વારંવારના આદેશો છતાં સેબીએ સક્રિય રીતે તપાસ કરી નથી. આનાથી સંપૂર્ણ પારદર્શિતા નાશ પામી છે. આ સૌથી મોટું ગુનાહિત કાવતરું છે. આ અહેવાલે સેબીના વડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈમાનદારીની પોલ ખોલી નાંખી છે.












Click it and Unblock the Notifications
