જાણીતા કવિ અને વરિષ્ઠ પત્રકાર વિષ્ણુ ખરેનું બ્રેઈન હેમરેજના કારણે નિધન
હિંદીના પ્રખ્યાત કવિ, વરિષ્ઠ સાહિત્યકાર, પત્રકાર તેમજ દિલ્હી હિંદી એકેડમીના ઉપાધ્યક્ષ વિષ્ણુ ખરેનું બુધવારે દિલ્હીના જી બી પંત હોસ્પિટલમાં નિધન થઈ ગયુ છે.
હિંદીના પ્રખ્યાત કવિ, વરિષ્ઠ સાહિત્યકાર, પત્રકાર તેમજ દિલ્હી હિંદી એકેડમીના ઉપાધ્યક્ષ વિષ્ણુ ખરેનું બુધવારે દિલ્હીના જી બી પંત હોસ્પિટલમાં નિધન થઈ ગયુ છે. વિષ્ણુ ખરેને લગભગ બે સપ્તાહ પહેલા મયૂર વિહાર સ્થિત હિંદુસ્તાન એપાર્ટમેન્ટમાં બ્રેઈન હેમરેજ થયુ હતુ. બ્રેઈન હેમરેજ સમયે તે ઘરમાં એકલા હતા. ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં ભરતી હતા. બ્રેઈન હેમરેજના કારણે તેમના શરીરના એક ભાગમાં પેરાલિસીસ થઈ ગયો હતો અને તેઓ કોમામાં જતા રહ્યા હતા.
ખરેને બ્રેઈન હેમરેજ હોવાના સમાચાર મળ્યા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તેમની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે 30 જૂને જ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલા તેઓ મુંબઈમાં રહેતા હતા પરંતુ થોડા દિવસો પહેલા હિંદી એકેડમીના ઉપાધ્યક્ષ બનતા થોડા દિવસોથી તેઓ દિલ્હી રહેવા લાગ્યા હતા. વિષ્ણુ ખરેને નાઈટ ઓફ ધ વ્હાઈટ રોઝ સમ્માન, હિંદી એકેડમી સાહિત્ય સમ્માન, શિખર સમ્માન, રઘુવીર સહાય સહાય સમ્માન, મૈથિલીશરણ ગુપ્ત સમ્માનથી નવાઝવામાં આવી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ નવાઝ શરીફ અને પુત્રી મરિયમને જેલમાંથી મુક્ત કરવાનો હાઈકોર્ટનો આદેશ
9 ફેબ્રુઆરી 1940 ના રોજ મધ્યપ્રદેશના છિંદવાડામાં જન્મેલા વિષ્ણુ ખરેએ ઈન્દોરની ક્રિશ્ચિયન કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમએ કર્યા બાદ હિંદી પત્રકારત્વમાં પોતાના કેરિયરની શરૂઆત કરી. તેમણે થોડા સમય સુધી 'દૈનિક ઈન્દોર' માં ઉપસંપાદકનું કામ સંભાળ્યુ. તેઓ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં વરિષ્ઠ સહાયક સંપાદક તરીકે પણ કાર્યરત રહ્યા. આ ઉપરાંત તેમણે જવાહરલાલ નહેરુ સ્મારક સંગ્રહાલય તથા પુસ્તકાલયમાં બે વર્ષ સુધી સીનિયર સ્કોલર રૂપે પણ કામ કર્યુ. તેમણે જાણીતા બ્રિટિશ કવિ ટી એસ એલિયટનું અનુવાદ કર્યુ જે પુસ્તક રૂપે મરુ પ્રદેશ અને અન્ય કવિતાઓ નામથી છપાયુ છે.
આ પણ વાંચોઃ અજય માકનનું અધ્યક્ષ પદ છોડવાનું ખરુ કારણ આ છે, બિમારી નહિ