RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ આપણી છોકરીઓ અને છોકરાએ બીજા ધર્મોમાં કેવી રીતે જતા રહે છે?
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે રવિવારે (10 ઓક્ટોબર) કહ્યુ કે લગ્ન માટે બીજો ધર્મ અપનાવનારા હિંદુ ખોટુ કરી રહ્યા છે.
નવી દિલ્લીઃ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે રવિવારે (10 ઓક્ટોબર) કહ્યુ કે લગ્ન માટે બીજો ધર્મ અપનાવનારા હિંદુ ખોટુ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે આ બસ પોતાના નાના સ્વાર્થો માટે થઈ રહ્યુ છે આનુ કારણ એ છે કે હિંદુ પરિવાર પોતાના બાળકોને પોતાના ધર્મ અને પરંપરાઓ માટે ગર્વ કરનારી વાતો અને મૂલ્યો વિશે નથી જણાવી રહ્યા. મોહન ભાગવતે કહ્યુ, 'રૂપાંતરણ કેવી રીતે થાય છે? આપણી છોકરીઓ અને છોકરાએ બીજા ધર્મોમાં કેવી રીતે પરિવર્તિત થાય છે? તે પણ લગ્ન અને નાના-નાના સ્વાર્થી કારણો માટે આમ કરવુ ખોટુ છે. આપણે પોતાના બાળકોને તૈયાર નથી કરતા. આપણે પોતાના અને પોતાના ધર્મ પર ગર્વ કરવાની જરૂર છે.'

મોહન ભાગવતે કહ્યુ કે આપણે તેને સંસ્કાર ઘરમાં આપવા પડશે. પોતાના લોકો પ્રત્યે ગૌરવ, પોતાના ધર્મ પ્રત્યે ગૌરવ, પોતાની પૂજા પ્રત્યે ગૌરવ. તેને લઈને કોઈ પ્રશ્ન આવશે તો જવાબ આપવા. કન્ફ્યુઝ ન થવુ જોઈએ. ધર્માંતરણ પર મોહન ભાગવતનુ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે ઘણા ભાજપશાસિત રાજ્યો કથિત રીતે લવ જેહાદના વિરોધમાં કાયદો લાવ્યા છે. એવુ સમજવામાં આવે છે કે આ કાયદાઓને આરએસએસના દબાણમાં લાવવામાં આવ્યા હતા.
મોહન ભાગવતે ભારતીય પારિવારિક મૂલ્યો અને તેમના સંરક્ષણ વિશે વિસ્તારથી વાત કરી અને તેમણે એ પણ મુદ્દો ઉઠાવ્યોકે કેવી રીતે મોટાભાગના આરએસએસ કાર્યક્રમોમાં માત્ર પુરુષો જ દેખાય છે. મોહન ભાગવતે કહ્યુ, 'આરએસએસનો ઉદ્દેશ હિંદુ સમાજને સંગઠિત કરવાનો છે. પરંતુ જ્યારે આપણે આરએસએસના કાર્યક્રમ આયોજિત કરીએ છીએ ત્યારે આપણે માત્ર પુરુષ જ દેખાય છે. જો આપણે આખા સમાજને સંગઠિત કરવા માંગતા હોય તો આમાં 50 ટકા મહિલાઓ પણ હોવી જોઈએ.'
ભાગવતે કહ્યુ, 'ભારતીયોએ હંમેશા પોતાની સંપત્તિની બીજા સાથે શેર કરી છે. મુઘલોના આવવા સુધી ભારત પાસે ઘણી સંપત્તિ હતી.' આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ, 'પહેલી શતાબ્દીથી 17મી સદી સુધી દેશમાં મુઘવ લૂંટ શરૂ થતા પહેલા ભારત આર્થિક રીતે દુનિયાનુ સૌથી સમૃદ્ધ દેશ હતો એટલા માટે તેને સોને કી ચિડિયા કહેવામાં આવતો હતો.' આરએસએસ પ્રમુખ ભાગવતે માતાપિતાને બાળકો ઓટીટી પ્લેટફૉર્મ પર શું જોઈ રહ્યા છે સાવચેત રહેવાની જરૂરિયાત વિશે પણ જણાવ્યુ.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા






Click it and Unblock the Notifications
