VHP આજે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અંગે નિર્ણય લેશે

વિશ્વ હિન્દૂ પરિષદના સ્થાનિક મીડિયા પ્રભારી શરદ શર્માએ જણાવ્યું હતું કે બેઠક મહાકુંભમાં રસિયા બાબાના સ્થળ સેક્ટર 10માં થશે. બેઠકમાં મહત્વપૂર્ણ રીતે શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી શ્રીરામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ તથા છાવણી પરિષદના મહંત નૃત્યગોપાલદાસ ઉપરાંત રામ જન્મભૂમિ ન્યાસના વરિષ્ઠ સભ્ય મહંત ડો, રામવિલાસ દાસ વેદાંતી, જગતગુરૂ ધરાચાર્ય, જગતગુરૂ પુરૂષોત્તમાચાર્ય કૌશલકિશોર દાસ, કિશોર શરણ દાસ, શંકરાચાર્ય વાસુદેવાનંદ, ડો. રામેશ્વર દાસ, સ્વામી વિશ્વેસરતીર્થ, જગતગુરૂ રામ ભદ્રાચાર્ય સહિત દેશના વિભિન્ન સંત ધર્માચાર્ય ભાગ લેશે. સંમેલનમાં વિશ્વ હિન્દૂ પરિષદના સંરક્ષક અશોક સિંઘલ, વિહિપના કાર્યાધ્યક્ષ ડો. પ્રવિણ તોગડિયા, મહામંત્રી ચમ્પત રાય, સંગઠન મહામંત્રી દિનેશ ચન્દ્ર તથા કેન્દ્રિય માર્ગદર્શક મંડળના સંયોજક પં.જેવેશ્વર મિશ્ર હાજર રહેશે.
અત્રે ઉલ્લેખનીય છેક રાજીવ ગાંધીના વડાપ્રધાનકાળમાં વર્ષ 1989માં અયોધ્યામાં શિલાન્યાસ અને દેશભરમાં શિલાપૂજન કરાવવાનો નિર્ણય મહાકુંભમાં જ લેવામાં આવ્યો હતો. 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં કારસેવા કરવાની સૌદ્ધાંતિક સહમતિ પણ મહાકુંભમાં થઇ હતી. જો કે આ અંગેનો ઔપચારિક નિર્ણય પછી દિલ્હીમાં થયો હતો. વર્ષ 2001માં વિહિપે મંદિરના મોડલની પ્રદર્શની લગાવવાનો નિર્ણય મહાકુંભમાં લીધો હતો. વિહિપના આ આયોજનમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સરસંચાલક મોહન ભાગવત પણ ભાગ લેશે.
સંતોનું માનવું કે આ મુદ્દો આસ્થાનો છે માટે કોર્ટમાં એક સીમાની આગળ જઇને કદાચ જ આદેશ કરી શકે. તે સંત સંમેલનમાં વિહિપના સંરક્ષક અશોક સિંઘલે કહ્યું હતું કે હવે હિન્દૂ સંસદની જરૂરિયાત જણાઇ રહી છે. હિન્દૂ સંસદ વગર ગૌહત્યા, આતંકવાદ, ધર્માંતર અને મઠ મંદિરોનું અધિગ્રહણ રોકાઇ શકે તેમ નથી. વિહિપના સૂત્રોના જણાવ્યા અનુસાર 7 ફેબ્રુઆરીના રોજ મહાકુંભ ક્ષેત્રમાં આયોજીત સંત સંમેલનમાં 20 હજાર લોકોને આમંત્રિત કરવામાં આવ્યાં છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
