મોદી પર કોમેન્ટને લઇને રઝા મુરાદ પર અકળાયું ભાજપ
નવી દિલ્હી, 9 ઓગષ્ટ: ઇદના પાવન અવસર પર ફિલ્મ અભિનેતા રઝા મુરાદે ઇશારા-ઇશારામાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ટોપી પહેરવાની શિખામણ આપી દિધી અને જવાબમાં ભાજપે તેમના પર રાજકીય હૂમલો બોલી દિધો. પાર્ટીની ફાયરબ્રાંડ નેતા ઉમા ભારતીએ તેમના પર નિમ્ન કક્ષાનું રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો તો મીનાક્ષી લેખીએ તેમને 'ના' મુરાદ ગણાવ્યા હતા.
જો કે આજે સવારે રઝા મુરાદે ઇદ મુબારક માટે ભાજપના જ એક મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની સાથે એક મંચ પર હતા. બંને ગળે મળ્યા અને ત્યારબાદ રઝા મુરાદે નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના ચૌહાણ નામનું હથિયાર ઉઠાવ્યું અને વાર કરી દિધો. રઝા મુરાદે કહ્યું હતું કે શિવરાજ સિંહ ચૌહાણ ટોપી પહેરે છે, બીજા મુખ્યમંત્રીઓએ તેમની પાસે શિખામણ લેવી જોઇએ. ટોપી પહેરવાથી કોઇનો ધર્મ બદલાઇ જતો નથી.
ત્યારબાદ શરૂ થયો ભાજપનો જવાબી હુમલો. સૌથી પહેલાં મોરચો સંભાળ્યો ઉમા ભારતીએ. તેમને ટ્વિટ કર્યું કે 'ઇદ મુબારક, ભોપાલમાં શિવરાજજીની બાજુમાં ઉભેલા 'સી' ગ્રેડ એક્ટર રઝા મુરાદે નરેન્દ્ર મોદીની નિંદા કરી છે આવું કેવી રીતે બન્યું? ઇદ પર આટલું નિમ્નકક્ષાનું રાજકારણ?
હવે વારો આવ્યો પાર્ટી પ્રવક્તા મીનાક્ષી લેખીનો તેમને કહ્યું કે 'તે ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવે છે અને વાસ્તવિક જીંદગીમાં હિરો જેવી વાતો કરી રહ્યાં છે. તેમનું નામ મુરાદ છે, પરંતુ તે નામુરાદની વાત કરી રહ્યાં છે. તેમને મુરાદાબાદના રમખાણો યાદ નથી. આ દેશમાં કોઇ રમખાણ થયા છે પરંતુ તે તેને દેખતા નથી.

ટ્વિટ કર્યા બાદ ઉમા ભારતીએ મીડિયાની સામે આવી. તેમને કહ્યું કે 'એક સી ગ્રેડ અભિનેતાએ નરેન્દ્ર મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરી છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે. હું આ મુદ્દાને સાચા મંચ પર ઉઠાવશે. અમે ઇદની મુબારકબાદ ટોપી પહેર્યા વગર પણ આપી શકીએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2013 પહેલાં નરેન્દ્ર મોદીની સદભાવના મિશન દરમિયાન જ્યારે મંચ પર એક મૌલવીએ તેમને ટોપી પહેરવાની ઇચ્છા વ્યક્ત કરી તો ગુજરાતના મુખ્યમંત્રીએ મનાઇ કરી દિધી હતી.
ત્યારબાદ જેડીયૂની રાષ્ટ્રીય કાર્યકારીણીમાં નિતિશ કુમારે ટોપી-વિવાદને લઇને નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. નિતિશ કુમારે કહ્યું હતું કે દેશના વડાપ્રધાન એવા હોવા જોઇએ જે ટોપી પણ પહેરે અને બીજાને લોકોને ગળે લગાવવા પડે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
