Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AIIMSમાં ભરતી અરુણ જેટલીને મળવા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ

મોદી સરકારના પહેલા કાર્યકાળમાં નાણામંત્રાલય સંભાળી રહેલા અરુણ જેટલીની તબિયત હાલમાં નાજુક છે.

મોદી સરકારના પહેલા કાર્યકાળમાં નાણામંત્રાલય સંભાળી રહેલા અરુણ જેટલીની તબિયત હાલમાં નાજુક છે. 9 ઓગસ્ટથી જેટલી દિલ્લીની એમ્સ હોસ્પિટલમાં ભરતી છે. અરુણ જેટલીની ખબર પૂછવા શુક્રવારે મોડી સાંજે ગૃહમંત્રી અમિત શાહ એમ્સ પહોંચ્યા. થોડી વાર ત્યાં રોકાયા બાદ તે ત્યાંથી નીકળી ગયા. તેમણે એમ્સના ડૉક્ટરો પાસેથી અરુણ જેટલીના આરોગ્ય વિશે માહિતી લીધી.

amit shah

અમિત શાહ પહેલા શુક્રવારે સાંજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અરુણ જેટલીને મળવા પહોંચ્યા હતા. શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ તેમની ખબરઅંતર પૂછવા એમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિએ સવારે લગભગ 11 વાગે એમ્સ પહોંચીને અરુણ જેટલીની ખબર પૂછી હતી.

ઉલ્લેખનીય છે કે અરુણ જેટલીની તબિયત બગડ્યા બાદ 9 ઓગસ્ટના રોજ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમને મળવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા સ્પીકર ઓમ બિડલા સહિત તમામ મોટી ભાજપ નેતા પહોંચ્યા હતા. અરુણ જેટલી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદથી બિમાર છે. મે 2018માં જેટલીની કિડનીનું પ્રત્યાર્પણ થયુ હતુ. ત્યારબાદથી જ જેટલીના પગમાં સૉફ્ટ ટિશ્યુ કેન્સર થઈ ગયુ. તેના ઈલાજ માટે તે વર્ષની શરૂઆતમાં જ અમેરિકા ગયા હતા. તબિયતના કારણે જ તેમણે લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X