જામિયા ફાયરિંગ અંગે અમિત શાહે કહ્યું - આવી ઘટના સહન નહીં થાય, કડક કાર્યવાહી કરવામાં આવશે
જામિયા નગરમાં સીએએનો વિરોધ કરી રહેલા લોકો પર ફાયરિંગ થતાં રાજકારણ પણ તીવ્ર બન્યું છે. કોંગ્રેસ અને આપ સહિતના અનેક રાજકીય પક્ષોએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
જામિયા નગરમાં સીએએનો વિરોધ કરી રહેલા લોકો પર ફાયરિંગ થતાં રાજકારણ પણ તીવ્ર બન્યું છે. કોંગ્રેસ અને આપ સહિતના અનેક રાજકીય પક્ષોએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. આ સાથે જ ગૃહપ્રધાન અમિત શાહે પણ આ ઘટનાની નિંદા કરી છે. આ ઘટનાની તપાસના આદેશ આપતા અમિત શાહે નિર્દેશ આપ્યો કે, કેન્દ્ર સરકાર આવી કોઈ પણ ઘટના સહન કરશે નહીં અને ગુનેગારને બક્ષવામાં આવશે નહીં.
ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે ટ્વીટ કર્યું હતું કે, દિલ્હીમાં બનેલી ગોળીબારની ઘટના અંગે મેં દિલ્હી પોલીસ કમિશનર સાથે વાત કરી હતી, તેમને કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. સરકાર આવી કોઈ પણ ઘટના સહન કરશે નહીં, તેને ગંભીરતાથી લેવામાં આવશે અને ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. વિપક્ષે આ ઘટનાને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે.
આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતાં દિલ્હીના મુખ્ય પ્રધાને કહ્યું છે કે દિલ્હીનો કાયદો અને વ્યવસ્થા બગડતો જાય છે. કેજરીવાલે અમિત શાહના ટ્વીટને રીટ્વીટ કરીને લખ્યું કે, 'દિલ્હીમાં શું થઈ રહ્યું છે? દિલ્હીનો કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યો છે. કૃપા કરીને દિલ્હીના કાયદો અને વ્યવસ્થાની કાળજી લો.