પાકિસ્તાન માટે જાસૂસીઃ ગૃહમંત્રાલયના અધિકારીની ધરપકડ
માહિતી અનુસાર ગૃહમંત્રાલયમાં સેક્શન ઓફિસરના પદ પર નિયુક્ત ચંદ્રશેખર નામના વ્યક્તિની સોમવારે ધરપકડ કરવામાં આવી છે. પૈસા લઇને પાકિસ્તાની જાસૂસોને સૂચનાઓ આપી હોવાનો આરોપ તેમના પર લગાવવામાં આવ્યો છે. સમાચાર એવા છે કે પોખરણ અંગે પાકિસ્તાનને જરૂરી સૂચનાઓ આપી હતી.
નોંધનીય છે કે આ પહેલાં 25 ફેબ્રુઆરીએ રાજસ્થાનના જૈસલમેર જિલ્લાના ચાંઘન ફાયરિંગ રેન્જમાં ગત સપ્તાહે થયેલા યુદ્ધાભ્યાસ 'આયરન ફિસ્ટ-2013'માં ભારતીય વાયુ સેનાની જાસૂસી કરનારો એક પાકિસ્તાની જાસૂસ પકડાયો હતો. માહિતી અનુસાર વાયુસેનાની જાસૂસીનો આ આરોપી પોખરણ ક્ષેત્રના કરમોંની ઢાણીનો રહેવાસી છે. જાણકારી અનુસાર ભારતીય વાયુસેના જ્યારે'આયરન ફિસ્ટ 2013'માં પોતાની તાકતનો પરચો આપતીવેળા પોતાની ક્ષમતાઓના બહુઆયામી પ્રદર્શન કરી રહી હતી, ત્યારે કથિત જાસૂસ પોતાના લેપટોપ થકી આ તમામ માહિતી પાકિસ્તાન મોકલી રહ્યો હતો.