આવી રીતે સર્જાયો 30 વર્ષનો સૌથી મોટો ટ્રેન અકસ્માત, જાણો શું કહ્યું રેલવેએ?
ફરી એક વખત ભારતીય રેલવેને ગ્રહણ લાગ્યુ છે. ઓડિશાના બાલાસોરમાં સર્જાયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં 288 લોકોના મોત થયા છે. આ ઘટના એકટી ભયંકર હતી કે તેના પડઘા હજુ સમ્યા નથી. હવે રેલ મંત્રાલયે ઘટના કેવી રીતે સર્જાઈ તેનો ખુલાસો કર્યો હતો.
આ ઘટનાને લઈને રાજનીતિ ચાલી રહી છે અને વાર પલટવાર વચ્ચે રેલવેએ ઘટના કેવી રીતે સર્જાઈ તેને લઈને ખુલાસો કર્યો છે. રેલવેે બોર્ડે પ્રેસ કોન્ફ્રન્સ કરીને પુરી ઘટનાનો ખુલાસો કર્યો છે.

રેલવે બોર્ડના ઓપરેશન એંડ બિઝનેસ ડેવલોપમેન્ટ હેડ જયા વર્માએ જણાવ્યુ કે, માલગાડી પાટા પરથી નહોતી ઉતરી પરંતુ માલગાડી લોખંડ લઈને જઈ રહી હોવાથી કોરોમંડલ એક્સપ્રેસને સૌથી વધુ નુકસાન થયું. કોરોમંડલ એક્સપ્રેસની પાટા પરથી ઉતરેલી બોગી ડાઉન લાઇન પર આવી હતી અને યશવંતપુર એક્સપ્રેસની છેલ્લી બે બોગી સાથે અથડાઈ હતી, જે ડાઉન લાઇનથી 126 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેક ક્રોસ કરી રહી હતી.
#WATCH | The goods train did not get derailed. Since the goods train was carrying iron ores, the maximum damage of the impact was on Coromandel Express. This is the reason for a huge number of deaths and injuries. The derailed bogies of Coromandel Express came on the down line,… pic.twitter.com/DnjheT8NSn
— ANI (@ANI) June 4, 2023
અહીં તેમણે આગળ જણાવ્યું કે, દુર્ઘટના બાદ રેલવેએ પહેલા રાહત અને બચાવ કામગીરી કરી અને હવે સમારકામ કરવામાં આવી રહ્યું હતું. બહાનાગા સ્ટેશન પર 4 લાઈન છે. તેમાં 2 મુખ્ય લાઈન છે. લૂપ લાઇન પર એક માલગાડી હતી. ડ્રાઇવરને સ્ટેશન પર ગ્રીન સિગ્નલ મળી ગયું હતું. બંને ટ્રેન પૂલ સ્પીડે દોડી રહી હતી. અહીં તેમણે જણાવ્યુ કે, પ્રાથમિક તપાસ દર્શાવે છે કે સિગ્નલમાં ગરબડ છે. અકસ્માતની ઝપેટમાં માત્ર કોરોમંડલ જ આવી.












Click it and Unblock the Notifications
