Phalodi Satta Bajar : 5માં ચરણ બાદ એમપીમાં મોટી ઉથલપાથલ, જાણો શું કહી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર?
જેમ જેમ લોકસભા ચૂંટણી આગળ વધી રહી છે તેમ સીટોના સમીકરણ સતત બદલાઈ રહ્યા છે. આ જ કારણ છે રે 5માં ચરણના મતદાન બાદ ફલોદી સટ્ટા બજારે મધ્યપ્રદેશને લઈને આકલન બદલ્યુ છે.
પાંચ તબક્કાના મતદાન બાદ એનડીએ અને વિપક્ષ ઈન્ડિયા બ્લોક બંને જીતનો દાવો કરી રહ્યા છે. જીત અને હારના આ દાવ વચ્ચે દેશના મોટા સટ્ટા બજારે લોકસભા ચૂંટણીને લઈને દાવો કર્યો છે.

રાજસ્થાનના પ્રખ્યાત ફલોદી સટ્ટા બજાર પર તમાનની નજર હોય છે ત્યારે આ વખતે ફલોદી સટ્ટાબજારે મધ્ય પ્રદેશને લઈને તેના1 આકલનમાં ફેરફાર કર્યા છે.
ફલોદી સટ્ટા બજારની વાત માનીએ તો એમપીમાં બીજેપીનું ટેન્શન વધી શકે છે. આ વખતે અડધો ડઝનથી વધુ બેઠકો પર કાંટાની ટક્કર છે. કોંગ્રેસ હોય કે ભાજપ, કોઈપણ પક્ષ આ બેઠકો જીતી શકે છે. જો કે એકંદરે ભારતીય જનતા પાર્ટીની બેઠકો 2014 અને 2019 જેવી જ સ્થિતિમાં રહેવાની ધારણા છે.
એપ્રિલની શરૂઆતમાં ફલોદી સટ્ટા બજાર મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ માટે મોટી લીડ બતાવી રહ્યું હતું. તે સમયે મધ્યપ્રદેશમાં ભાજપને 24 અને કોંગ્રેસને 5 બેઠકો મળવાનો અંદાજ હતો.
રાજ્યમાં ચાર તબક્કાના મતદાન બાદ ફલોદી સટ્ટા બજારમાં કોંગ્રેસની બેઠકો અમુક અંશે ઘટી ગઈ છે, આ પછી પણ બીજેપીનું ટેન્શન યથાવત છે.
ફલોદી સટ્ટા બજારના સૂત્રો અનુસાર ભારતીય જનતા પાર્ટીને આ વખતે એમપીમાં 29માંથી 27 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને બે બેઠકો મળી શકે છે. 2019માં ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં 28 બેઠકો જીતી હતી, જ્યારે 2014માં ભાજપે રાજ્યમાં 27 બેઠકો જીતી હતી.
આ વખતે ભાજપ તમામ 29 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે પરંતુ ફલોદી સટ્ટાબજારની આગાહીઓ શાસક પક્ષને નિરાશ કરી શકે છે.
વાસ્તવમાં, આ વખતે ફલોદી સટ્ટા બજાર મધ્યપ્રદેશની અડધો ડઝન બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નજીકની સ્પર્ધાની આગાહી કરી રહ્યું છે.
સટ્ટાબજાર મુજબ, મુરેના, મંડલા, ગ્વાલિયર, ઝાબુઆ, છિંદવાડા અને રાજગઢ લોકસભા બેઠકો પર જોરદાર સ્પર્ધા છે. અહીં ભાજપ કે કોંગ્રેસના કોઈપણ ઉમેદવાર જીતી શકે છે.












Click it and Unblock the Notifications
