ખરડો તો પસાર થયો પણ સરકાર ક્યાંથી ભરશે ફૂડ સિક્યુરિટીનું બિલ?
લોકસભામાં ખાદ્ય સુરક્ષા ખરડો (ફૂડ સિક્યુરિટી બિલ) તો પસાર કરવામાં સરકારને સફળતા મળી ગઇ છે. આ બિલને મંજૂરી સાથે યુપીએ સરકાર ફૂડ સિક્યુરિટી બિલની મદદથી લોકસભા ચૂંટણીની નૈયા પાર લગાવવા માંગે છે. જો કે મહત્વનો પ્રશ્ન એ છે કે દેશની વર્તમાન આર્થિક અને નાણાકીય સ્થિતિને જોતા સરકાર ફૂડ સિક્યુરિટી બિલનો વધારાનો બોજ કેવી રીતે ઉઠાવશે અને તેના માટેના નાણા ક્યાંથી આવશે તે એક પ્રશ્ન છે. આ બિલના અમલીકરણમાં સરકાર સામે ક્યા પ્રશ્નો અને પડકારો આવી શકે તે આવો જાણીએ...

આવક વધારવી
માર્કેટ એક્સપર્ટના જણાવ્યા અનુસાર ફૂડ સિક્યુરિટી બિલ અમલી થયા બાદ સરકારે પોતાની આવકમાં દર વર્ષે ઓછામાં ઓછા 10થી 15 ટકાનો વધારો કરવો પડશે. પૂર્વ નાણા મંત્રી અને ભાજપના સીનિયર નેતા યશવંત સિંહાનું કહેવું છે કે બિલના અમલીકરણ બાદ પહેલા વર્ષનો ખર્ચ અંદાજે 1.25 લાખ કરોડ રૂપિયાનો અંદાજ છે. મહત્વની બાબત એ છે કે દર વર્ષે વસતી વધવાની સાથે ફૂડ સિક્યુરિટી બિલનું બજેટ પણ વધતું જશે.

કિંમતો પર નિયંત્રણ
ફૂડ બિલ અંતર્ગત રાજ્યોને સબસિડી આપવા માટે જે દિશા નિર્દેશ તૈયાર કરવામાં આવ્યા છે, તે અંતર્ગત રાજ્યોને ઓપન કે રિટેલ માર્કેટમાંથી કઇ સીમા સુધી મોંધી વસ્તુઓ ખરીદી શકે છે? પ્રશ્ન એ છે કે સરકારી ખરીદ મર્યાદા કરતા વસ્તુઓની કિંમતો વધી ગઇ તો શું કરવું? આ માટે સરકારે જ જથ્થાબંધ અને રિટેલ માર્કેટમાં સંતુલન બનાવી રાખવું પડશે.

બિલ પાછળ અંદાજિત ખર્ચ
2013-14 1.25 લાખ કરોડ રૂપિયા
2014-15 1.35 લાખ કરોડ રૂપિયા
2015-16 1.50 લાખ કરોડ રૂપિયા

દેશની આર્થિક સ્થિતિ
અંદાજિત ખર્ચ વર્ષ 2013-14માં
કુલ ખર્ચ 16.90 લાખ કરોડ રૂપિયા
કુલ આવક 12.70 લાખ કરોડ રૂપિયા
નાણાકીય ખાધ 5.2 ટકા જીડીપીની તુલનામાં
કુલ સબસિડી 3 લાખ કરોડ રૂપિયા (લક્ષ્ય)
એક્સપોર્ટ 3.20 લાખ કરોડ રૂપિયા (લક્ષ્ય)

સરકારની સ્થિતિ કફોડી
આ સ્થિતિઓને કારણે વર્તમાન સમયમાં સરકારીન સ્થિત કફોડી છે.
- ડૉલરની સરખાણમીએ રૂપિયામાં અવમૂલ્યન
- શેરમાર્કેટમાંથી વિદેશી રોકાણકારો પલાયન
- જથ્થાબંધની સાથે છૂટક ક્ષેત્રમાં પણ વધતી મોંધવારી
- ભારતીય કંપનીઓનું રોકાણ દેશની બહાર જઇ રહ્યું છે
- વિકાસદરમાં ઘટાડો થવાની શક્યતા

સરકારની પાસે શું વિકલ્પ છે?
- આવક વધારવા માટે ટેક્સ કલેક્શનમાં વધારે કરવો પડશે
- ટેક્સ ચોરીને રોકવી, ઇન્કમ અને સર્વિસ ટેક્સનો દાયરો વધારવો પડે
- એક્સપોર્ટમાં દર વર્ષે ઓછામાં ઓછા 30 ટકાનો વધારો
- ઇમ્પોર્ટમાં દર વર્ષે ઓછામાં ઓછા 20 ટકાનો કાપ મૂકવો
આવક વધારવી
માર્કેટ એક્સપર્ટના જણાવ્યા અનુસાર ફૂડ સિક્યુરિટી બિલ અમલી થયા બાદ સરકારે પોતાની આવકમાં દર વર્ષે ઓછામાં ઓછા 10થી 15 ટકાનો વધારો કરવો પડશે. પૂર્વ નાણા મંત્રી અને ભાજપના સીનિયર નેતા યશવંત સિંહાનું કહેવું છે કે બિલના અમલીકરણ બાદ પહેલા વર્ષનો ખર્ચ અંદાજે 1.25 લાખ કરોડ રૂપિયાનો અંદાજ છે. મહત્વની બાબત એ છે કે દર વર્ષે વસતી વધવાની સાથે ફૂડ સિક્યુરિટી બિલનું બજેટ પણ વધતું જશે.
કિંમતો પર નિયંત્રણ
ફૂડ બિલ અંતર્ગત રાજ્યોને સબસિડી આપવા માટે જે દિશા નિર્દેશ તૈયાર કરવામાં આવ્યા છે, તે અંતર્ગત રાજ્યોને ઓપન કે રિટેલ માર્કેટમાંથી કઇ સીમા સુધી મોંધી વસ્તુઓ ખરીદી શકે છે? પ્રશ્ન એ છે કે સરકારી ખરીદ મર્યાદા કરતા વસ્તુઓની કિંમતો વધી ગઇ તો શું કરવું? આ માટે સરકારે જ જથ્થાબંધ અને રિટેલ માર્કેટમાં સંતુલન બનાવી રાખવું પડશે.
બિલ પાછળ અંદાજિત ખર્ચ
2013-14 1.25 લાખ કરોડ રૂપિયા
2014-15 1.35 લાખ કરોડ રૂપિયા
2015-16 1.50 લાખ કરોડ રૂપિયા
દેશની આર્થિક સ્થિતિ
અંદાજિત ખર્ચ વર્ષ 2013-14માં
કુલ ખર્ચ 16.90 લાખ કરોડ રૂપિયા
કુલ આવક 12.70 લાખ કરોડ રૂપિયા
નાણાકીય ખાધ 5.2 ટકા જીડીપીની તુલનામાં
કુલ સબસિડી 3 લાખ કરોડ રૂપિયા (લક્ષ્ય)
એક્સપોર્ટ 3.20 લાખ કરોડ રૂપિયા (લક્ષ્ય)
સરકારની સ્થિતિ કફોડી
આ સ્થિતિઓને કારણે વર્તમાન સમયમાં સરકારીન સ્થિત કફોડી છે.
- ડૉલરની સરખાણમીએ રૂપિયામાં અવમૂલ્યન
- શેરમાર્કેટમાંથી વિદેશી રોકાણકારો પલાયન
- જથ્થાબંધની સાથે છૂટક ક્ષેત્રમાં પણ વધતી મોંધવારી
- ભારતીય કંપનીઓનું રોકાણ દેશની બહાર જઇ રહ્યું છે
- વિકાસદરમાં ઘટાડો થવાની શક્યતા
સરકારની પાસે શું વિકલ્પ છે?
- આવક વધારવા માટે ટેક્સ કલેક્શનમાં વધારે કરવો પડશે
- ટેક્સ ચોરીને રોકવી, ઇન્કમ અને સર્વિસ ટેક્સનો દાયરો વધારવો પડે
- એક્સપોર્ટમાં દર વર્ષે ઓછામાં ઓછા 30 ટકાનો વધારો
- ઇમ્પોર્ટમાં દર વર્ષે ઓછામાં ઓછા 20 ટકાનો કાપ મૂકવો












Click it and Unblock the Notifications
