ભવિષ્ય જાણવા જ્યોતિષ પાસે પહોંચી સ્મૃતિ ઇરાની

નવી દિલ્હી, 24 નવેમ્બર: આને દેશનું દુર્ભાગ્ય કહીએ કે પછી બદનસીબી દેશની કેન્દ્રિય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાની જ્યોતિષ વિદ્યાના ભરોસે દેશની શિક્ષણ વ્યવસ્થાને ચલાવવા માંગે છે. જી હાં કેન્દ્રિય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાની પોતાનું ભવિષ્ય જાણવા માટે રાજસ્થાનના ભીલવાડા પહોંચી જ્યાં તેમણે જ્યોતિષિ પાસેથી પોતાનું ભવિષ્ય જાણ્યું.

સ્મૃતિ ઇરાની પહેલાં પણ ઘણા વિવાદોમાં રહી ચૂકી છે, ડિગ્રી વિવાદના જર્મના ભાષાને કેન્દ્રિય વિદ્યાલયોમાં ત્રીજી ભાષાના રૂપમાં ચાલુ સત્રમાંથી દૂર કરવામાં આવતાં સ્મૃતિ ઇરાનીને આકરી ટિકાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ જે પ્રકારે જ્યોતિષ પાસે દેશની શિક્ષણ મંત્રી પોતાના ભવિષ્ય વિશે જાણવા માટે પહોંચી છે તેનાથી ફરી એકવાર તેને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે.

smriti

તો બીજી તરફ રાજસ્થાનના પ્રવાસ પર ભીલવાડાના કારોઇ ગામમાં પં.નાથૂલાલ વ્યાસના ઘરે રવિવારે પહોંચી હતી. જ્યાં પહેલાં તો તેમણે પંડિતજીને તેમની ભવિષ્યવાણી સાચી પડતાં ધન્યવાદ વ્યક્ત કર્યો. પંડિતજીએ તેમને રાજકારણમાં મોટા પર જવાનો વિશ્વાસ અપાવ્યો હતો. તો બીજી તરફ સ્મૃતિ ઇરાનીએ આગળના ભવિષ્ય વિશે પૂછ્યું તો પંડિતજીએ સ્લેટ ઉઠાવીને મંત્રીજીની ભવિષ્યાણી કરવા લાગ્યા.

પોતાની ચાર કલાકની મુલાકાત દરમિયાન સ્મૃતિ ઇરાનીની સાથે તેમના પતિ જુબીન ઇરાની અને ઘરના સભ્ય પણ હતા. તો બીજી તરફ મીડિયા સાથે વાત કરતાં પંડિત નાથૂલાલે કહ્યું કે સ્મૃતિ ઇરાની ભવિષ્યમાં રાષ્ટ્રપતિ બની શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X