For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્નીના ચરિત્ર પર શંકા, પતિએ પ્રેમીની નિર્મમ હત્યા કરી

સોનૌલી પોલીસે ઉત્તરપ્રદેશના મહેરાજગજ જિલ્લામાં 10 મી ફેબ્રુઆરીએ એક યુવાનોની હત્યાનો ખુલાસો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

સોનૌલી પોલીસે ઉત્તરપ્રદેશના મહેરાજગજ જિલ્લામાં 10 મી ફેબ્રુઆરીએ એક યુવાનોની હત્યાનો ખુલાસો કર્યો છે. પોલીસે એક આરોપીને ધરપકડ કરી અને તેને જેલમાં મોકલી આપ્યો. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટનામાં એક પતિને તેની પત્નીના ચરિત્ર પર શંકા હતી. તેને કારણે તેને પત્નીના કથિત પ્રેમીની હત્યા કરી નાખી. આ ઘટનાને અંઝામ આપીને તે ફરાર થયો હતો.

પોલીસે આખી ઘટનાનો ખુલાસો કર્યો

પોલીસે આખી ઘટનાનો ખુલાસો કર્યો

મહારાજગંજ જિલ્લાના એસપી રોહિત સિંહ સાજવાન ઘ્વારા આ મામલે ખુલાસો કરતા જણાવવામાં આવ્યું કે સોનોલી ચોકી વિસ્તારના જગન્નાથપુરમાં 10 ફેબ્રુઆરી દરમિયાન એક યુવકની હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી. તેની ઓળખ જગ્ગનાથપુરમાં રહેનાર શ્રીનિવાસ તરીકે થઇ. પોલીસની તપાસમાં આ વાત સામે આવી કે શ્રીનિવાસમાં પાડોશમાં રહેતો ઇન્દ્રકુમાર હત્યાના દિવસથી જ ગાયબ છે.

ઇન્દ્રકુમારને તે ગમતો ના હતો

ઇન્દ્રકુમારને તે ગમતો ના હતો

પોલીસને આ વાતની જાણકારી પણ મળી કે શ્રીનિવાસ તેના ઘરે વારંવાર જતો હતો. ઇન્દ્રકુમારને તેનું પોતાના ઘરે આવવું પસંદ ના હતું. તેને કારણે તેનો પોતાની પત્ની સાથે ઘણીવાર વિવાદ પણ થયો હતો. તેમ છતાં શ્રીનિવાસ તેના ઘરે આવતો જ રહ્યો. તેને કારણે ઇન્દ્રકુમારનો તેની પત્ની સાથે વિવાદ વધતો જ રહેતો હતો.

પોલીસે ઇન્દ્રકુમારને જેલમાં મોકલ્યો

સોનોલી પોલીસે શંકાના આધારે ઇન્દ્રકુમારની અટક કરી અને તેની કડકાઈથી પૂછપરછ કરી ત્યારે તેને બધું જ કહી દીધું. તેને શ્રીનિવાસની હત્યા કર્યાની વાત પણ કાબુલ કરી લીધી. તેને પોલીસને જણાવ્યું કે તેની પત્નીનો શ્રીનિવાસ અને બીજા એક યુવક સાથે અવેધ સંબધ હતો. તેને કારણે તેને શ્રીનિવાસની હત્યા કરી નાખી. બીજો યુવક ત્યાંથી ભાગી ગયો નહીં તો તેની પણ હત્યા કરી દેતો. પોલીસે આરોપીને જેલમાં મોકલી આપ્યો છે.

English summary
Husband murdered his wife's lover in Maharajganj
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X