મોદીના વિરોધ પર બબાલ, શિવરાજ સિંહે કહ્યું 'મેં આવું નથી કહ્યું'
ભોપાલ, 6 સપ્ટેમ્બર : નરેન્દ્ર મોદીની પીએમ ઉમેદવારીનો વિરોધ કરવાના સમાચારો પર રાજનૈતિક બબાલ થયા બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ સફાઇ આપી છે. તેમણે જણાવ્યું છે કે મીડિયામાં આવી રહેલા સમાચારો ખોટા છે, તેમણે ક્યારેય આવું નથી કહ્યું.
પ્રધાનમંત્રી પદના ઉમેદવાર પર તેમણે જણાવ્યું કે 'બીજેપીમાં પાર્ટી સર્વોપરી છે અને પીએમ ઉમેદવાર પર નિર્ણય પાર્ટી કરશે. આ સંબંધમાં કોઇપણ પ્રકારની અટકળો લગાવવી જોઇએ નહીં. '
Reports in certain sections of media around my objection to Shri @narendramodi being declared as PM candidate are baseless & misleading.
— ShivrajSingh Chouhan (@ChouhanShivraj) September 6, 2013
In BJP, the party is supreme and it will decide and declare the PM candidate at right moment. Any speculation in this regard is avoidable.
— ShivrajSingh Chouhan (@ChouhanShivraj) September 6, 2013
ઉલ્લેખનીય છે કે મીડિયામાં એવા સમાચાર આવ્યા છે કે શિવરાજ સિંહ ચૌહાણે વિધાનસભા ચૂંટણી સુધી બીજેપી તરફથી પીએમ પદ માટે ઉમેદવાર જાહેર નહીં કરવાની માંગ કરી છે.

શિવરાજ સિંહ ચૌહાણે હાલમાં જ સંઘ પ્રમુખ મોહન ભાગવત, બીજેપી અધ્યક્ષ રાજનાથ સિંહ અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી હતી.












Click it and Unblock the Notifications
