For Quick Alerts
For Daily Alerts
કોંગ્રેસને શાંતિથી ઉંઘવા નહી દઉ: કેજરીવાલ
અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીઓએ ગુરૂવારે વિદેશ મંત્રી સલમાન ખુર્શીદના સંસદીય વિસ્તાર ફર્રુખાબાદમાં રેલી યોજી તેમનો ખૂબ વિરોધ કર્યો હતો. કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે તેમના કાર્યકર્તાઓની ઝપાઝપી થઇ હતી. અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમ વિરૂદ્ધ કાળા વાવટા પણ ફરકાવવામાં આવ્યાં હતાં. ફર્રુખાબાદથી ત્રણ કિલોમીટર દૂર મલિકપુરમાં 'મે ખુર્શીદ હૂં' લખેલી ટોપી પહેરેલા લોકોએ આઇએસી કાર્યકર્તા પર હૂમલો કર્યો હતો.
કેજરીવાલે ફર્રુખાબાદના લોકો પાસે સલમાન ખુર્શીદને હરાવીને એક વિકલાંગને જીતાડવાનું આહવાન કર્યું હતું. તેમને કહ્યું હતું કે ' અમે તેમને રાજકારણનો પાઠ ભણાવીશું. 2014માં તેમને સત્તામાંથી દૂર કર્યા સિવાય રહીશું નહી.
Comments
arvind kejriwal congress lok sabha elections 2014 jan lokpal bill iac farrukhabad salman khurshid અરવિંદ કેજરીવાલ કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2014 જન લોકપાલ બીલ આઇએસી ફર્રુખાબાદ સલમાન ખુર્શીદ
English summary
Arvind Kejriwal has warned Congress leaders that he won't let them sleep peacefully till the 2014 Lok Sabha elections