For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસને શાંતિથી ઉંઘવા નહી દઉ: કેજરીવાલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

arvind-kejriwal-mike
ફર્રુખાબાદ, 2 નવેમ્બર: ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તે 2014 સુધી કોંગ્રેસને શાંતિ ઉંઘવા દેશે નહી. ગુરૂવારે યૂપીના ફર્રુખાબાદમાં કેજરીવાલે કહ્યું હતું કે '2 ઑક્ટોબરથી અમે રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે, ત્યારથી અમે કોંગ્રેસને શાંતિથી બેસવા દિધી નથી. અમને આમ કરવા માટે મજબૂર કરવામાં આવ્યાં છે કારણ કે જ્યારે પણ અમે જન લોકપાલની માંગણી કરી ત્યારે તેમને અમને કહ્યું કે રાજકારણમાં આવો અને સંસદમાં બીલ પાસ કરાવો દો.

અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીઓએ ગુરૂવારે વિદેશ મંત્રી સલમાન ખુર્શીદના સંસદીય વિસ્તાર ફર્રુખાબાદમાં રેલી યોજી તેમનો ખૂબ વિરોધ કર્યો હતો. કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે તેમના કાર્યકર્તાઓની ઝપાઝપી થઇ હતી. અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમ વિરૂદ્ધ કાળા વાવટા પણ ફરકાવવામાં આવ્યાં હતાં. ફર્રુખાબાદથી ત્રણ કિલોમીટર દૂર મલિકપુરમાં 'મે ખુર્શીદ હૂં' લખેલી ટોપી પહેરેલા લોકોએ આઇએસી કાર્યકર્તા પર હૂમલો કર્યો હતો.

કેજરીવાલે ફર્રુખાબાદના લોકો પાસે સલમાન ખુર્શીદને હરાવીને એક વિકલાંગને જીતાડવાનું આહવાન કર્યું હતું. તેમને કહ્યું હતું કે ' અમે તેમને રાજકારણનો પાઠ ભણાવીશું. 2014માં તેમને સત્તામાંથી દૂર કર્યા સિવાય રહીશું નહી.

English summary
Arvind Kejriwal has warned Congress leaders that he won't let them sleep peacefully till the 2014 Lok Sabha elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X