ખુલાસો: પ્રત્યુશાના શરીર પર હતા ઘાના નિસાન, માંગ માં સિંધુર
ટીવી અભિનેત્રી પ્રત્યુશા બેનર્જી ની મૌતને લઈને એક પછી એક ખુલાસા થઇ રહ્યા છે. પ્રત્યુશા બેનર્જીના મિત્રો નું કેહવું છે કે તે આત્મહત્યા ના કરી શકે તેની હત્યા કરવામાં આવી છે. આ આખા મામલાને અભિનેત્રી રાખી સાવંતે એક અલગ રૂપ આપ્યું છે. રાખી સાવંતે કહ્યું છે કે મૃત્યુ સમયે પ્રત્યુશા બેનર્જી ની માંગમાં સિંધુર હતું.
રાખી સાવંતે કહ્યું છે કે તેને પ્રત્યુશા બેનર્જી નું મૃત શરીર જોયું છે અને તેની માંગમાં સિંધુર હતું. એટલું જ નહિ પ્રત્યુશા બેનર્જીની ખાસ દોસ્ત ડોલી બિન્દ્રાએ પણ ફોન કરીને જણાવ્યું છે કે મૃત્યુ સમયે પ્રત્યુશા બેનર્જીના શરીર પર ઘા ના નિસાન હતા અને માંગમાં સિંધુર હતું. તમને જણાવી દઈએ કે પ્રત્યુશા બેનર્જી અને તેના બોયફ્રેન્ડ રાહુલ વચ્ચે પૈસાને લઈને ઝગડો થયો હતો.
પાવર કપલ શોમાં રાહુલ અને પ્રત્યુશા બેનર્જીએ ભાગ લિધો હતો. આ શોના તેમને પૈસા પણ મળ્યા હતા. પરંતુ પ્રત્યુશાએ રાહુલને જણાવ્યા વગર જ કેટલાક પૈસા કાઢી લિધા. જેને લઈને બંનેમાં થોડી અણબન હતી.
પ્રત્યુશાના પડોસીનું માન્યે તો બપોરે 12 વાગ્યે પ્રત્યુશાને તેના ફ્લેટમાં રડતા સાંભળવામાં આવી હતી. જયારે તેને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેને કહ્યું કે રાહુલે તેને દગો આપ્યો છે. જાણકારીએ પણ મળી રહી છે કે રાહુલને આત્મહત્યા પહેલા પ્રત્યુશાના ઘરે જતો પણ જોવામાં આવ્યો હતો.