સુબ્રમણ્યમ સ્વામીનો દાવો: શ્રીદેવી ની હત્યા થઇ હશે
અભિનેત્રી શ્રીદેવી ની મૌત પર હજુ પણ સસ્પેન્સ ચાલી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી દરેકના મનમાં ઘણા સવાલો ઉભા થયા છે.
અભિનેત્રી શ્રીદેવી ની મૌત પર હજુ પણ સસ્પેન્સ ચાલી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી દરેકના મનમાં ઘણા સવાલો ઉભા થયા છે. તેની વચ્ચે જ સુબ્રમણ્યમ સ્વામી ઘ્વારા ચોંકાવી નાખે તેવું નિવેદન આપવામાં આવ્યું છે. સુબ્રમણ્યમ સ્વામી ઘ્વારા એક ન્યુઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન જણાવવામાં આવ્યું કે શ્રીદેવી બાથટબમાં ડૂબીને મરવું સંભવ લાગતું નથી, શ્રીદેવી ની હત્યા થઇ હોય તેવું બની શકે છે. સુબ્રમણ્યમ સ્વામીએ બાથટબમાં ડૂબીને મરવાવાળી વાત પર જણાવ્યું કે બાથટબમાં ડૂબીને મારવું થોડું અજીબ લાગે છે. શ્રીદેવી દારૂ પીતી ના હતી તેવામાં તેના શરીરમાં દારૂના અંશ કઈ રીતે આવ્યા.
શ્રીદેવી ની મૌત કાર્ડીક અરેસ્ટથી નહીં પરંતુ બાથટબમાં ડૂબવાથી થયી
આપણે જણાવી દઈએ કે દુબઇ પોલીસની ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે શ્રીદેવી ની મૌત કાર્ડીક અરેસ્ટ થી નહીં પરંતુ બાથટબમાં ડૂબવાથી થયી છે. તેમના શરીરમાં દારૂના અંશ જોવા મળ્યા છે. રિપોર્ટ મુજબ દારૂના પ્રભાવને કારણે શ્રીદેવી બાથરૂમમાં પોતાનું સંતુલન ગુમાવી બેસી અને બાથટબમાં પડીને ડૂબી ગયી.
અમરસિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે શ્રીદેવી દારૂ નથી પીતી
સપા નેતા અમરસિંહ ઘ્વારા શ્રીદેવી ના શરીરમાં આલ્કોહોલ મળવાની ઘટના પર જણાવવામાં આવ્યું કે શ્રીદેવી દારૂ નથી પીતી પરંતુ કોઈક વાર ખાલી વાઈન પી લે છે. દુબઇ પોલીસ ઘ્વારા આખા મામલાની જાંચ દરમિયાન શ્રીદેવી ના પતિ બોની કપૂરનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. પોલીસે શ્રીદેવી ના પરિવાર અને હોટલ સ્ટાફ સાથે પણ વાતચીત કરી છે.