Karnataka election : કર્ણાટકથી બીજેપીનું પતન શરૂ થશે તો મને ગમશે-મમતા મેનર્જી

કર્ણાટકમાં હાલ માહોલ ગરમ છે. ચૂંટણી માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પાર્ટીઓ મેદાને પડી છે. બીજી તરફ સત્તાધારી બીજેપી માટે સ્થિતી મુશ્કેલ જણાતા તેને એડી ચોટીનું જોર લગાવી દીધુ છે. તમામ ઘટનાક્રમ વચ્ચે મમતા બેનર્જીનું મોટુ નિવેદન સામે આવ્યુ છે.

કર્ણાટકમાં હાલ ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં સત્તાધારી બીજેપી માટે સત્તા બચાવવી કોઈ પણ ભોગે જરૂરી છે. ગઠબંધન તરફ જઈ રહેલી ચૂંટણી વચ્ચે હવે મમતા બેનર્જીએ બીજેપીને લઈને મોટી ભવિષ્યવાણી કરી દીધી છે.

Karnataka election

મમતા બેનર્જીએ ટીએમસીના જનસંપર્ક અભિયાન દરમિયાન લોકોને સંબોધતા કહ્યું કે, જો કર્ણાટકમાં 10 મેની વિધાનસભાની ચૂંટણીઓ સાથે ભાજપનું પતન શરૂ થશે તો તે ખુશ થશે. અહીં મમતા બેનર્જીએ બીજેપી પર પોતાના સ્વાર્થ માટે હિંદુ ધર્મને બદનામ કરવાનો આરોપ લગાવ્યો.

મમતા બેનર્જીએ કહ્યું કે, બીજેપી જેટલી જલ્દી સત્તામાંથી બહાર થશે તેટલું દેશ માટે સારું રહેશે. અહીં મમતા બેનર્જીએ મતદારોને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને મત ન આપવા આહ્વાન કર્યું અને કહ્યું કે, બીજેપીનું પતન કર્ણાટકથી શરૂ થાય તો મને આનંદ થશે. આ સાથે તેમણે કહ્યું કે, બીજેપીએ હિન્દુ ધર્મમાં આધ્યાત્મિકતાનો નાશ કર્યો છે.

બીજી તરફ જંતર-મંતર પર દિલ્હી પોલીસ અને વિરોધ કરી રહેલા રેસલરો વચ્ચેના ઝપાઝપી અંગે કેન્દ્ર પર પ્રહાર કરતાં બેનર્જીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે, ત્યાં કેટલી કેન્દ્રીય ટીમો મોકલવામાં આવી છે. તેમણે કહ્યું કે ગઈકાલે રાત્રે નવી દિલ્હીમાં આંદોલનકારી કુસ્તીબાજો પર પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો. ત્યાં કેટલી કેન્દ્રીય ટીમો મોકલવામાં આવી? બીજેપીએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X