Breaking News: વિંગ કમાન્ડર અભિનંદનને કાલે છોડી મૂકશે પાકિસ્તાન, જાણો ઈમરાન ખાને શું કહ્યું
Breaking News: વિંગ કમાન્ડર અભિનંદનને કાલે છોડી મૂકશે પાક
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવગ્રસ્ત સ્થિતિમાં ભારત માટે એક સારા સમાચાર છે. પાકિસ્તાને ભારતના વિંગ કમાન્ડર અભિનંદનને છોડી મૂકવાનો વાયદો કર્યો છે. ખુદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આ અંગે જાણકારી આપતા કહ્યું કે શુક્રવારે ઈન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદનને છૂડી મૂકીશું. આ સમાચાર તમામ ભારતીયોને ખુશ કરે તેવા છે. આગળ જાણો ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદને સંબોધતા વધુ શું કહ્યું...

જણાવી દઈએ કે પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાએ બાલાકોટ સ્થિત જૈશ એ મોહમ્મદના 13 જેટલા આતંકી કેમ્પ એર સ્ટ્રાઈક કરી 300થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. બાદમાં ભારતની સીમામાં ઘૂસેલા પાકિસ્તાની ફાઈટર જેટનો પીછો કરી રહેલ વિંગ કમાન્ડર અભિનંદનનું પ્લેન મિગ-21 PoKમાં ક્રેશ થયું હતું. પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને છોડવા માટે શરત રાખતા કહ્યું હતું કે શાંતિનો માહોલ સર્જાશે ત્યાર પછી જ અભિનંદનને છોડવા વિશે વિચારીશું પણ ભારતે કડક શબ્દોમાં અભિનંદનને પરત મોકલવા પાકિસ્તાન પર દબાણ કર્યું હતું.
The moment Pakistan Prime Minister Imran Khan told Parliament that a peace gesture to India its pilot Wing Commander Abhinandan will be released tomorrow
— omar r quraishi (@omar_quraishi) February 28, 2019
Also note that all MPs thumped their desks in approval pic.twitter.com/DS4K8NcRd3
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદમાં પોતાનું વક્તવ્ય આપતા કહ્યું કે ભારતના પાયલોટને આપણે પકડ્યો છે, શાંતિ સ્થાપવા માટે અમે કાલે ભારતના પાયલોટને છોડી મૂકીશું. વધુમાં ઈમરાન ખાને કહ્યું કે મેં કાલે પણ પીએમ મોદીને ફોન કરવાની કોશિશ કરી હતી, તેમને મેસેજ મોકલ્યો હતો કે જો પરિસ્થિતિ વધુ આગળ વધી જશે તો તેનાથી ભારત કે પાકિસ્તાનને કંઈ ફાયદો નહિ થાય. ઈમરાન ખાને જ્યારે ભારતીય પાયલોટને છોડવાની જાહેરાત કરી ત્યારે તમામ સાંસદોએ બેંચ પર થાપલી મારીને આ નિર્ણયને આવકાર્યો હતો. અહીં જુઓ વીડિયો.
વધુમાં ઈમરાન ખાને કહ્યું કે એક ખેલાડી તરીકે હું ભારતનો પ્રવાસ ખેડી ચૂક્યો છું અને ત્યાં મારા કેટલાય મિત્રો છે. હું જાણું છું કે ભારતના ઘણા લોકો હાલની સરકારની રણનીતિથી સહમત નથી. તેમને એહસાસ થશે કે આ ભૂલ છે. કાલે મેં મોદી સાથે આ વિશે વાત કરવાની કોશિશ કરી હતી. આજે સાંજે તુર્કીના રાષ્ટ્રપતિ સાથે આ વિશે વાત કરીશ. પરંતુ મહેરબાની કરીને આ પગલાંને અમારી કમજોરીના રૂપે ન જોતા. હું ભારતને કહીશ કે આને આગળ લઈને ન જાઓ, જો તેવું થયું તો પાકિસ્તાન પાસે જવાબી હુમલા સિવાય બીજો કોઈ વિકલ્પ નહિ હોય. ઈમરાન ખાને કહ્યું કે ભારતનો પાયલોટ અમે પકડ્યો છે. શાંતિની પહેલ તરીકે અમે તેને કાલે છોડી મૂકીશું.
અગાઉ ભારતીય સરકારે પાયલોટ અભિનંદનને પરત લાવવા માટે કોઈપણ પ્રકારની સમજૂતીથી ઈનકાર કરી દીધો હતો. જણાવી દઈએ કે બુધવારે પાકિસ્તાનનું વિમાન ભારતીય સીમામાં ઘુસવાની કોશિશ કરી રહ્યું હતું, જેને સફળતાપૂર્વક પરત ભગાડી દીધું, પાકિસ્તાનના વિમાન એફ-16નો પીછો કરી રહેલ ભારતનું મિગ-21 હતું, જેને વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન ઉડાવી રહ્યા હતા. પાકિસ્તાની વિમાનનો પીછો કરવાના ચક્કરમાં અભિનંદન પીઓકેમાં ચાલ્યા ગયા હતા. જ્યાં તેમનું મિગ-21 ક્રેશ થઈ ગયું અને તેઓ પેરાશૂટથી બહાર નિકળી આવ્યા, જે બાદ પાકિસ્તાની સેનાએ તેમની પકડી લીધા હતા.
આ પણ વાંચો- ડીલનો કોઈ સવાલ જ નહિ, અમારા વિંગ કમાન્ડરને પાકિસ્તાન પાછા મોકલેઃ ભારત
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
