IAS Pooja Khedkar : પૂજા ખેડકર વિરૂદ્ધ ફરિયાદ દાખલ, UPSC એ નોટીસ મોકલી
ફર્જી સર્ટિફિકેટના સહારે આઈએએસ બની હોવાના આરોપો લાગ્યા છે તે આઈએએસ પુજા ખેડકરની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે તેના વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.
વિવાદોમાં ઘેરાયેલી મહારાષ્ટ્ર કેડરની તાલીમાર્થી IAS ઓફિસર પૂજા ખેડકર વિરુદ્ધ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવા માટે નકલી વિકલાંગતા પ્રમાણપત્ર બનાવવા બદલ કેસ નોંધાયો છે અને ઉમેદવારી રદ કરવાની માંગ કરાઈ છે.

એક નિવેદનમાં UPSCએ જણાવ્યું કે, પૂજા ખેડકરે સિવિલ સર્વિસીસ પરીક્ષા-2022 ના કામચલાઉ ભલામણ કરેલ ઉમેદવાર કુમારી પૂજા મનોરમા દિલીપ ખેડકરની ગેરવર્તણૂક અંગે વિગતવાર અને સંપૂર્ણ તપાસ હાથ ધરી છે.
આ તપાસમાંથી એ પ્રકાશમાં આવ્યું છે કે તેણીએ નામ, પિતા અને માતાનું નામ, ફોટોગ્રાફ/સહી, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને સરનામું બદલીને નકલી ઓળખ બનાવીને પરીક્ષાના નિયમો હેઠળ અનુમતિપાત્ર મર્યાદા કરતાં વધુ પ્રયાસોની છેતરપિંડીનો લાભ લીધો.
UPSCએ કહ્યું કે, પંચે કહ્યું છે કે પૂજા ખેડકર વિરુદ્ધ પોલીસ સત્તાવાળાઓ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી છે. તેણીની સિવિલ સર્વિસિસની ઉમેદવારી રદ કરવા માટે કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે.
અગાઉ ગુરુવારે મહારાષ્ટ્ર સરકારના સામાન્ય વહીવટી વિભાગે અધિક મુખ્ય સચિવ નીતિન ગદ્રેની આગેવાની હેઠળ ખેડકર સામેના અનેક આરોપો અંગેનો અહેવાલ કેન્દ્ર સરકારના કર્મચારી અને તાલીમ વિભાગને સુપરત કર્યો હતો.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
