IAS Pooja Khedkar : પૂજા ખેડકર વિરૂદ્ધ ફરિયાદ દાખલ, UPSC એ નોટીસ મોકલી
ફર્જી સર્ટિફિકેટના સહારે આઈએએસ બની હોવાના આરોપો લાગ્યા છે તે આઈએએસ પુજા ખેડકરની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે તેના વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.
વિવાદોમાં ઘેરાયેલી મહારાષ્ટ્ર કેડરની તાલીમાર્થી IAS ઓફિસર પૂજા ખેડકર વિરુદ્ધ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવા માટે નકલી વિકલાંગતા પ્રમાણપત્ર બનાવવા બદલ કેસ નોંધાયો છે અને ઉમેદવારી રદ કરવાની માંગ કરાઈ છે.

એક નિવેદનમાં UPSCએ જણાવ્યું કે, પૂજા ખેડકરે સિવિલ સર્વિસીસ પરીક્ષા-2022 ના કામચલાઉ ભલામણ કરેલ ઉમેદવાર કુમારી પૂજા મનોરમા દિલીપ ખેડકરની ગેરવર્તણૂક અંગે વિગતવાર અને સંપૂર્ણ તપાસ હાથ ધરી છે.
આ તપાસમાંથી એ પ્રકાશમાં આવ્યું છે કે તેણીએ નામ, પિતા અને માતાનું નામ, ફોટોગ્રાફ/સહી, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને સરનામું બદલીને નકલી ઓળખ બનાવીને પરીક્ષાના નિયમો હેઠળ અનુમતિપાત્ર મર્યાદા કરતાં વધુ પ્રયાસોની છેતરપિંડીનો લાભ લીધો.
UPSCએ કહ્યું કે, પંચે કહ્યું છે કે પૂજા ખેડકર વિરુદ્ધ પોલીસ સત્તાવાળાઓ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી છે. તેણીની સિવિલ સર્વિસિસની ઉમેદવારી રદ કરવા માટે કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે.
અગાઉ ગુરુવારે મહારાષ્ટ્ર સરકારના સામાન્ય વહીવટી વિભાગે અધિક મુખ્ય સચિવ નીતિન ગદ્રેની આગેવાની હેઠળ ખેડકર સામેના અનેક આરોપો અંગેનો અહેવાલ કેન્દ્ર સરકારના કર્મચારી અને તાલીમ વિભાગને સુપરત કર્યો હતો.












Click it and Unblock the Notifications
