Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સરકાર ઇચ્છે તો મારા બ્રહ્મચર્યની તપાસ કરાવી લેઃ રામદેવ

baba ramdev
નવીદિલ્હી, 8 જાન્યુઆરીઃ જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવે બે દિવસ પહેલા કહ્યું કે સેક્સ પ્રકૃતિને રજૂ કરવી જરૂરી છે અને બ્રહ્મચર્ય એક પાખંડ છે, પરંતુ હવે બાબા રામદેવનું કહેવું છે કે બની શકે કે તેમણે અવલોકન કર્યા વગર આ કહીં દીધું છે, પરંતુ બ્રહ્મચર્ય પાખંડ નથી.

યોગ ગુરુ બાબા રામદેવનું કહેવું છેકે, બ્રહ્મચર્ય એક હકીકત છે અને આ ઘણો જ જુનો સિલસિલો છે. તેમણે વધારે કહ્યું કે, જો સરકાર ઇચ્છે તો તેમના બ્રહ્મચર્યની તપાસ કરાવી શકે છે. આમ પણ સરકારી અમારી સીબીઆઇ તપાસ તો કરાવી રહી છે.

બાબા રામદેવ આથી પણ વધું કહ્યું કે, સરકાર જો બ્રહ્મચર્ય પર તપાસ કરાવશે તો મને ખુશી થશે...બ્રહ્મચર્ય કોઇ સ્વપ્ન, કલ્પના અને ઢોંગ નથી... સદીઓથી આપણા ઋષિ-મુનિઓની આ પરંપરા રહી છે.

નોંધનીય છે કે, શરદ યાદવે બ્રહ્મચર્યને પાખંડ ગણાવતા કહ્યું હતું કે સેક્સની ઇચ્છા સ્વાભાવિક છે અને કોઇ પણ નવયુવાનને 15 દિવસમાં એક વખત તેની જરૂર પડે છે. જો કે, બાદમાં તેમણે પોતાના નિવેદનથી મો ફેરવી લીધું હતું અને કહ્યું હતું કે તેમની વાતને મારી મચેડીને રજૂ કરવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X