જો ગુરુવારે કુમારસ્વામીની સરકાર પડી ભાંગે તો, કોંગ્રેસ માટે હશે એક મોટો ઝાટકો
જો ગુરુવારે કુમારસ્વામીની સરકાર પડી ભાંગે તો, કોંગ્રેસ માટે હશે એક મોટો ઝાટકો
નવી દિલ્હીઃ આ ગુરુવારે કર્ણાટકમાં ચાલી રહેલ નાટકનો એક અધ્યાય પૂરો થઈ જશે. કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ આ દિવસે વિશ્વાસ મત હાંસલ કરવાનું રહેશે. જેને લઈ તેઓ ભારે આશ્વસ્ત દેખાયા. કર્ણાટક વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમારે બિઝનેસ એડવાઈઝરી સમિતિની એક કલાક ચાલેલ બેઠક બાદ ઘોષણા કરી કે મુખ્યમંત્રી કુમારસ્વામી ગુરુવારે 11 વાગ્યે વિશ્વાસમત હાંસલ કરશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ વિશ્વાસમત હાંસલ કરવાની પહેલ કરી હતી. તેમણે ગુરુવારે 11 વાગ્યે વિશ્વાસમત હાંસલ કરવાનો સમય આપ્યો છે. અગાઉ ભાજપે કુમારસ્વામી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રત્સાવની નોટિસ આપી દીધી હતી. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપી નેતા બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ માટે કહ્યું હતું.
શું છે વિધઆનસભાનું સમીકરણ
225 સભ્યોવાળી કર્ણાટક વિધાનસભામાં 16 ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે. જેને હટાવવાથી વિધાનસભાની સંખ્યા 209 પર આવી ગઈ છે. ત્યારે બહુમત માટે 105 ધારાસભ્યો જોઈએ. ભાજપ પાસે 105 ધારાસભ્યો સિવાય 2 અપક્ષના ધારાસભ્યો પણ છે જેને મેળવી કુલ 107 ધારાસભ્યો છે. જ્યારે જેડીએસ કોંગ્રેસ પાસે સ્પીકરને છોડી 101 ધારાસભ્યો હશે. જોડ તોડની કોશિશ સરકાર બનાવવા અને પાડવા માટે બંને તરફથી ચાલી રહી છે.
તો કોંગ્રેસ માટે એક મોટો ફટકો
ગુરુવારે જો કર્ણાટક સકાર પડી ભાંગે છે તો કોંગ્રેસ માટે એક મોટો ફટકો હશે કેમ કે લોકસભા ચૂંટણીમાં મળેલ હારથી પાર્ટી પહેલા જ સમસ્યામાં છે અે આ વચ્ચે વધુ એક સત્તા જવાથી પાર્ટી માટે મોટી રણનૈતિક હાર હશે. સાથે જ ગઠબંધનની રાજનીતિ પર પણ સવાલ ઉઠાવવામાં આવશે કેમ કે ઉત્તર પ્રદેશમાં પહેલા જ સપા-બસપા આકરી હાર બાદ અલગ-અલગ થઈ ગયા છે.
કુમારસ્વામી સરકારને ઓક્સીજન મળ્યું
કુમાર સ્વામી સરકારનું ભવિષ્ય હવે ગુરુવારે નક્કી થશે. વિશ્વાસમત જીતવા માટે જે નંબર જોઈએ તે હાલ તેમની પાસે નથી દેખાઈ રહ્યા. પરંતુ પહેલા સુપ્રીમ કોર્ટ અને હવે સ્પીકરના ફેસલાથી મુખ્યમંત્રી કુમારસ્વામીને થોડો વધુ સમય મળી ગયો છે જે આવા નાજુક સમયમાં તેમના માટે ઑક્સીજનથી ઓછો નથી.
કર્ણાટકઃ બાગી ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે કરશે સુનાવણી