જો ભારત-પાક. યુદ્ધ થયું તો બંને તરફ સર્જાશે માત્ર વિનાશ

પાકિસ્તાન તરફથી હંમેશા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવતું રહ્યું છે. વારંવાર ભડકાવવા છતાં ભારતે સંયમ જાળવી રાખ્યો છે. રાજનૈતિક અને સૈન્ય સ્તર પર આ સંયમ જરૂરી પણ છે. જોકે 1971ના આ યુદ્ધ બાદ ભારત-પાકિસ્તાન સરહદ વિવાદ ટાઇમ બોમ્બનો ભયાનક ચહેરો ધારણ કરી ચૂક્યો છે. સૈન્યબળ વધારવાની સાથે સાથે પાકિસ્તાને ભારત તરફ પોતાનો બંદોબંસ્ત પણ વધારી દીધો. આજની તારીખમાં ભારત અને પાકિસ્તાન એક બીજા તરફનો સૈન્ય બંદોબંસ્ત લગભગ એક સમાન છે. આવો જાણીએ કે બંનેની પાસે કેટલી સૈન્ય ક્ષમતા છે અને યુદ્ધની સ્થિતિમાં કોણ કોની પર ભારે પડી શકે છે.
જો વાત કરીએ મિસાઇલની તો ભારતની પાસે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બહ્મોસ, અગ્નિ, પૃથ્વી, આકાશ જેવી મિસાઇલ્સ છે જે કોઇ પણ વિરોધીઓને ધ્વસ્ત કરવામાં સક્ષમ છે. જ્યારે પાકિસ્તાનની પાસે માત્ર ગૌરી, શાહીન, ગજનવી, હત્ફ અને બાબર જેવી મિસાઇલ છે. જાણકારોનું માનીએ તો ભારતની બ્રહ્મોસની ટેકનિક સૌથી આધુનિક છે અને આને 5 મિનિટની અંદર છોડવા માટે તૈયાર થઇ શકે છે.
સૈન્ય ક્ષમતા ભારત પાકિસ્તાન
સૈન્ય ક્ષમતા ભારત પાકિસ્તાન
સૈનિકોની સંખ્યા 12,63,000 6,20,000
લડાકૂ વિમાન 1000 ની આસપાસ 500
સબમરિન 16 10
કૉર્પ્સ 9 8
ટેન્ક 2295 3620
યુદ્ધનૌકા (Battleship) 27 11












Click it and Unblock the Notifications
