જો આ 'વિકાસ' છે, તો તેને રજા પર મોકલવાનો સમય આવી ગયો છે : પ્રિયંકા ગાંધી
રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારા માટે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.
લખનઉ : આજે ફરી એકવાર રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારા માટે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. પ્રિયંકા ગાંધીએ ભાજપના 'સબકા સાથ સબકા વિકાસ' સૂત્ર પર કટાક્ષ કરતા કહ્યું કે, જો આ 'વિકાસ' છે, તો આ તેને રજા આપવાનો સમય આવી ગયો છે.
પ્રિયંકા ગાંધીએ કર્યું ટ્વીટ
કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ બુધવારના રોજ (01 સપ્ટેમ્બર) ટ્વીટ કર્યું હતું. ટ્વિટ કરતી વખતે પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, પ્રધાનમંત્રી, તમારા શાસન હેઠળ માત્ર બે પ્રકારના "વિકાસ" થઈ રહ્યા છે. એક તરફ તમારા અબજોપતિ મિત્રોની આવક વધી રહી છે. બીજી તરફ સામાન્ય લોકો માટે જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. જો આ "વિકાસ" છે, તો આ "વિકાસ"ને રજા આપવાનો સમય આવી ગયો છે.
प्रधानमंत्री जी,
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 1, 2021
आपके राज में दो ही तरह का "विकास" हो रहा है:
एक तरफ आपके खरबपति मित्रों की आय बढ़ती जा रही है।
दूसरी तरफ आमजनों के लिए आवश्यक वस्तुओं के दाम बढ़ते जा रहे हैं।
अगर यही "विकास" है तो इस "विकास" को अवकाश (छुट्टी) पर भेजने का वक्त आ गया है।#IndiaAgainstBJPLoot pic.twitter.com/Pra7PfAQb8
રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકાર પર કાર્ય હતા પ્રહાર
આ પહેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે 1 જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી ચાર મહાનગરોના ઘરેલું સિલિન્ડરના ભાવ વિશે જણાવ્યું છે. સિલિન્ડરની કિંમતો લખીને તેમણે કહ્યું કે, જે પ્રજાને ભૂખ્યા પેટ પર સૂવાની ફરજ પાડે છે, તે છાયામાં સૂઈ રહ્યો છે, પણ હવે દેશ અન્યાય સામે એક થઈ રહ્યો છે. બાય ધ વે, આ પહેલી વખત નથી, જ્યારે સિલિન્ડરની કિંમતમાં વધારો થયો હોય, આ પહેલા પણ જ્યારે 18 ઓગસ્ટના રોજ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો હતો, ત્યારે પણ તેમણે ફેસબુક પર મોદી અને તેમની સરકાર પર નિશાન સાધ્યું હતું.
जनता को भूखे पेट सोने पर मजबूर करने वाला ख़ुद मित्र-छाया में सो रहा है…
— Rahul Gandhi (@RahulGandhi) September 1, 2021
लेकिन अन्याय के ख़िलाफ़ देश एकजुट हो रहा है।#IndiaAgainstBJPLoot pic.twitter.com/ifFJVeUg7W
રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો
બુધવારના રોજ બિન સબસિડી વગરના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 25નો વધારો થયો છે. જે બાદ ઉત્તર પ્રદેશમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 890.50 રૂપિયા થઈ ગઈ છે. આ સાથે 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર પણ મોંઘુ થઈ ગયું છે, હવે તેની કિંમતમાં 75 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો જાન્યુઆરીથી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં કુલ 165 રૂપિયાનો વધારો થયો છે.