શીનાનો પાસપોર્ટ, રાહુલના ઘરમાંથી મળ્યો, ઇંદ્રાણીનું વધુ એક જૂઠ
મુંબઈ: દેશના હાઈપ્રોફાઈલ શીના મર્ડર કેસે લોકોના મગજમાં અનેક સવાલ ઉભા કરી દીધા છે. શીના હત્યા કેસમાં તેની માતાની ધરપકડ કરવામાં આવી છે. આ મર્ડર કેસમાં અનેક નવા રહસ્યો પરથી પડદો ઉંચકાઈ રહ્યો છે. શીના મર્ડર કેસમાં શીનાની માતાનું વધુ એક જુઠ્ઠાણું સામે આવી રહ્યું છે. જેમા શીનાની માતાએ જણાવ્યું હતું કે તેમની દીકરી શીના અમેરિકા શીફ્ટ થઈ ગઈ છે.

પોલીસ કમિશ્નર રાકેશ મારિયાએ જાણકારી આપી છે કે તેમને શીના બોરાનો પાસપોર્ટ દેહરાદુનમાંથી રાહુલ મુખર્જીના ઘરેથી મળ્યો છે. અચરજની વાત તો એ છે કે રાહુલને ઇંદ્રાણી પર ત્યારે પણ શંકા ન ગઈ જ્યારે ઇંદ્રાણીએ જણાવ્યું હતુ કે શીના એક અન્ય પાસપોર્ટ દ્વારા અમેરિકા જતી રહી છે.
શીનાનો પાસપોર્ટ, પ્રેમી રાહુલના ઘરમાંથી મળ્યો
મહત્વપૂર્ણ છે કે રાહુલ મુખર્જી દેહરાદુનમાં પોતાની માં અને પીટર મુખર્જીની પ્રથમ પત્ની શબનમની સાથે રહે છે. જ્યાં તે ક્યારેક ક્યારેક શીનાની સાથે આવતો જતો હતો.
સવાલ એ છે કે શીનાનો પાસપોર્ટ રાહુલની પાસે કેવી રીતે પહોંચ્યો? આ અંગે પોલીસે મિડીયાને ખુબ જ આશ્ચર્યજનક જવાબ આપ્યો. પોલીસે જણાવ્યું કે શીના મુંબઈની રિલાયન્સ મેટ્રોમાં વર્ષ 2011-2012માં કામ કરતી હતી.
શીના મુંબઈની રિલાયન્સ મેટ્રોમાં કામ કરતી હતી
તેણે ઓફિસની બાજુમાં ભાડેથી એક ઘર લીધુ હતુ. જ્યાં તે રાહુલની સાથે લીવ ઈનમાં રહેતી હતી. રાહુલની માતાને પણ આ વાતથી કોઈ વાંધો નહતો. ત્યારબાદ રાહુલ અને શીનાએ દેહરાદુન આવીને સગાઈ કરી લીધી હતી. અને આ દરમ્યાન શીનાનો પાસપોર્ટ રાહુલ પાસે આવ્યો હતો.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
