આઈઆઈટી મદ્રાસમાં પીએચડી સ્કૉલરે કરી આત્મહત્યા, 4 મહિનામાં બીજો કેસ
આઈઆઈટી મદ્રાસના પીએચડી સ્કૉલર હોસ્ટેલમાં રહેતી 25 વર્ષની છોકરીનો મૃતદેહ તેના રૂમમાંથી મળી આવ્યો છે.
આઈઆઈટી મદ્રાસના પીએચડી સ્કૉલર હોસ્ટેલમાં રહેતી 25 વર્ષની છોકરીનો મૃતદેહ તેના રૂમમાંથી મળી આવ્યો છે. મૃત રંજના કુમારી ઝારખંડની રહેવાસી હતી અને વર્ષ 2017માં તેણે આઈઆઈટી મદ્રાસ જોઈન કર્યુ હતુ. રંજના મેટલર્જી અને મટિરિયલ સાયન્સમાં પીએચડી માટે કામ કરી રહી હતી.

રંજનાના માતા પિતા તેના પૂરા બે દિવસ સુધી કૉલ કરતા રહ્યા પરંતુ કોઈએ ઉઠાવ્યો નહિ ત્યારબાદ જ્યારે તેમણે અન્ય સાથીઓને ફોન કર્યો તો રંજનીના રૂમનો દરવાજો ખોલાવવામાં આવ્યો. અહીં રંજનાનો મૃતદેહ હતો. તમને જણાવી દઈએ કે છેલ્લા 4 મહિનામાં આઈઆઈટી મદ્રાસના કેમ્પસમાં આ બીજી આત્મહત્યા છે. આ પહેલા સપ્ટેમ્બરમાં કેરલના રહેવાસી કોરનાથે આત્મહત્યા કરી લીધી હતી. પોલિસનું કહેવુ છે કે રૂમમાંથી ઘણી દૂર્ગંધ આવી હતી જેનાથી સ્પષ્ટ છે કે રંજનાએ થોડા દિવસ પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી.
આઈઆઈટી મદ્રાસમાં કુલ 18 હોસ્ટેલ છે. પોલિસ કેસની તપાસમાં લાગી ગઈ છે. પોલિસનું કહેવુ છે કે રંજના 31 ડિસેમ્બરની રાતે નવા વર્ષના સેલિબ્રેશન માટે પણ રૂમમાંથી બહાર નીકળી નહોતી. જો કે રંજના કોઈ તણાવમાં હોવાની વાતથી બધાએ ઈનકાર કર્યો છે. તો તેણે આત્મહત્યા જેવુ પગલુ કેમ ભર્યુ તે વિશે પોલિસ તપાસમાં લાગેલી છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
