મનીષા કોઇરાલાએ શેર કરી કેંસર સામેની લડતની તસ્વીર, કેંસર સામે લડતા લોકોને આપશે પ્રેરણા
બોલીવુડની ILU-ILU ગર્લ મનીષા કોઈરાલા આ દિવસોમાં, તે ફરીથી ફિલ્મ જગત અને સોશિયલ મીડિયા પર એક્ટીવ થઇ છે, કેન્સર સાથેની લડત જીત્યા પછી મનિષાએ 1 ડિસેમ્બરે ફોટો કોલાજ શેર કરી હતી.
બોલીવુડની ILU-ILU ગર્લ મનીષા કોઈરાલા આ દિવસોમાં, તે ફરીથી ફિલ્મ જગત અને સોશિયલ મીડિયા પર એક્ટીવ થઇ છે, કેન્સર સાથેની લડત જીત્યા પછી મનિષાએ 1 ડિસેમ્બરે ફોટો કોલાજ શેર કરી હતી, જેને જોઇને લોકો તેના વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મનીષાએ જે તસવીર શેર કરી છે તેમાં બે ફોટા છે. મનીષાએ જે તસવીર શેર કરી છે તેમાં બે ફોટા છે.
બીજી લાઇફ માટે આભીરી છુ- મનીષા
મનીષાએ જે તસવીર શેર કરી છે તેમાં બે ફોટા છે. પહેલા ફોટામાં તે એક હોસ્પિટલના બેડ પર જોવા મળી છે, જ્યારે બીજા ફોટામાં તે વાદળોથી ઢંકાયેલ પર્વતોથી ઘેરાયેલી છે, મનીષાએ આ ફોટોને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યો અને લખ્યું કે આ બીજી વખત ની લાઇફ માટે હું હંમેશાં આભારી રહીશ, ગુડ મોર્નિંગ મિત્રો ... આ એક સુંદર જીવન છે અને ઠંડી અને સ્વસ્થ રહેવાની તક છે.
|
મનીષાએ લખી છે એક બુક
ચાલો તમને જણાવી દઈએ કે મનીષાએ પોતાનો સંઘર્ષ દરેક સાથે શેર કર્યો છે, તેણે 'Healed: How Cancer Gave Me A New Life' નામનું પુસ્તક પણ લખ્યું છે, જે લોકોને આ રોગ સામે લડવાની હિંમત આપે છે.
સુભાઇ ઘઇની ફિલ્મથી બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી
ફિલ્મ નિર્માતા સુભાષ ઘઇની શોધ છે મનીષા કોઈરાલા જે આજે વિજયી રાજકુમારી તરીકે લોકોની સામે છે. લોકોએ તેમની પાસેથી એક પાઠ લેવો જોઈએ કે જો તમારો આત્મવિશ્વાસ તમારી સાથે છે, તો પછી તમે સરળતાથી મૃત્યુનો સામનો કરી શકો છો, મનીષાએ કેન્સર સામેની વિજય તેના પુનર્જન્મ તરીકે ગણાવ્યો હતો, પરંતુ તેના નજીકના મિત્રોના મતે મનીષાની અંદર એક અલગ પ્રકારનો આત્મવિસ્વાસ દેખાય છે અને હવે તે પહેલાના કરતા પણ વદારે ઉર્જાવાન અને આકર્ષક લાગે છે.
મનીશા કોઇરાલાને હતું ઓવેરિયન કેંસર
નોંધનીય છે કે વર્ષ 2012માં મનીષા અંડાશયના કેન્સરથી પીડિત હતી, જેના માટે તે સારવાર માટે ન્યૂયોર્ક ગઈ હતી, મનીષાએ પોતે ફેસબુક પર તેના રોગ વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે મારા મિત્રો મારા માટે પ્રાર્થના કરે છે કે હું સહિસલામત ભારત આવી શકું. લાંબી સારવાર પછી મનીષા પાછી આવી ગઈ હતી અને આજે તે સંપૂર્ણ સ્વસ્થ છે.