જમ્મૂ-કાશ્મીરનો કિલ્લો ફતેહ કરવામાં ઘર વાપસી બની શકે છે મુશ્કેલી
શ્રીનગર, 23 ડિસેમ્બર: ભારતીય જનતા પાર્ટી માટે કેન્દ્રમાં સરકાર બનાવવા માટે જમ્મૂ-કાશ્મીરનો કિલ્લો ફતેહ કરવો સૌથી મોટો પડકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ બન્યા બાદ લગભગ દર મહિને જમ્મૂનો પ્રવાસ કર્યો. એટલું જ નહી વડાપ્રધાનમંત્રીએ જમ્મૂ પ્રત્યે પોતાનો લગાવ દરેક રેલીમાં જાહેર કર્યો.
પરંતુ મતદાનના અંતિમ બે તબક્કામાં જે પ્રકારે ઘર વાપસી અને ધર્માંતરણના મુદ્દાઓએ ભાજપ સરકારને ભૂંડી રીતે ઘેરી તે જમ્મૂ-કાશ્મીરમાં ભાજપના મિશન 44માં સૌથી મોટી મુશ્કેલી બની શકે છે.

આ કારણો બની શકે છે ભાજપના માર્ગમાં મુશ્કેલી
-ધર્માંતરણ અને ઘર વાપસીના મુદ્દાઓ પર પીએમનું મૌન
- ભાજપના ઘણા સાંસદો અને મંત્રીઓના વિવાદિત નિવેદનો
- કલમ 370 પર ભાજપનું મૌન
- જમ્મૂ-કાશ્મીરમાં ઘણા આતંકવાદી હુમલાઓ
આ છે હાલની સ્થિત
નેશનલ કોંફ્રેસ-28
પીડીપી-21
કોંગ્રેસ -7
પૈંથર પાર્ટી- 3
સીપીઆઇ -1
પીપલ્સ ડેમોક્રેટિક ફ્રંટ-1
જમ્મૂ-કાશ્મીરમાં પ્રથમ બે ત્રણ તબક્કામાં મતદારોએ જોરદાન મતદાન કર્યું હતું. પરંતુ આગામી બે તબક્કાઓમાં ધર્માંતરણ અને ઘરવાપસીનો મુદ્દો આખા દેશમાં ગૂંજ્યો અને આ મુદ્દા પર વડાપ્રધાનના મૌને લોકોને ફરી એકવાર વિચારવા માટે મજબૂર કરી દિધા.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહે જમ્મૂ-કાશ્મીરમાં મિશન 44 પ્લસનો નારો બુલંદ કર્યો હતો. તેના માટે ભાજપે 14 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જો કે ઘણા મુસલમાન ઉમેદવારોએ એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહાર કર્યા.












Click it and Unblock the Notifications
