મણિપુરમાં સ્થિતી વણસી, રાજ્ય સરકારે AFSPA ની મુદત છ મહિના માટે વધારી
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્યની બીજેપી સરકારની નબળી નીતિને કારણે મણિપુરમાં હાલત ત્યાંની ત્યાં જ છે. ડબલ એન્જિનના દાવા કરનારી બીજેપી રાજ્ય અને કેન્દ્રમાં સત્તામાં હોવા છત્તા મહિલાઓને બળાત્કારનો ભોગ બનવુ પડી રહ્યું છે.
હવે રાજ્યમાં ફરીથી સ્થિતી વણસી છે ત્યારે સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યને અશાંત વિસ્તાર જાહેર કર્યો છે. 19 પોલીસ સ્ટેશન વિસ્તારોને બાદ કરતાં સમગ્ર રાજ્યને અશાંત જાહેર કરવામાં આવ્યુ છે.

રાજ્ય સરકારની સૂચના મુજબ, વિવિધ ઉગ્રવાદી/વિદ્રોહી જૂથોની હિંસક પ્રવૃત્તિઓને કારણે સમગ્ર મણિપુર રાજ્યમાં નાગરિક વહીવટને મદદ કરવા માટે સશસ્ત્ર દળોના ઉપયોગની જરૂર છે.
જાહેર કરાયેલ અશાંત વિસ્તારોમાં રાજ્યની રાજધાની ઇમ્ફાલ, લામફેલ, સિટી, સિંગજામેઇ, સેકમાઇ, લામાસાંગ, પટસોઇ, વાંગોઇ, પોરોમ્પટ, હેઇંગાંગ, લામલાઇ, ઇરિલબુંગ, લીમાખોંગ, થૌબલ, બિષ્ણુપુર, નામ્બોલ, મોઇરાંગ, કાકચિંગ અને જીરીબામનો સમાવેશ થાય છે.
મણિપુર સરકારે બુધવારે પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યને અશાંત વિસ્તાર જાહેર કર્યો છે. 19 પોલીસ સ્ટેશન વિસ્તારોને બાદ કરતાં સમગ્ર રાજ્યને અવ્યવસ્થિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની સૂચના મુજબ, સત્તાવાળાઓએ જણાવ્યું છે કે વિવિધ ઉગ્રવાદી/વિદ્રોહી જૂથોની હિંસક પ્રવૃત્તિઓને કારણે સમગ્ર મણિપુર રાજ્યમાં નાગરિક વહીવટને મદદ કરવા માટે સશસ્ત્ર દળોના ઉપયોગની જરૂર છે.
જાહેર કરાયેલ અવ્યવસ્થિત વિસ્તારોમાં રાજ્યની રાજધાની ઇમ્ફાલ, લામફેલ, સિટી, સિંગજામેઇ, સેકમાઇ, લામાસાંગ, પટસોઇ, વાંગોઇ, પોરોમ્પટ, હેઇંગાંગ, લામલાઇ, ઇરિલબુંગ, લીમાખોંગ, થૌબલ, બિષ્ણુપુર, નામ્બોલ, મોઇરાંગ, કાકચિંગ અને જીરીબામનો સમાવેશ થાય છે.
રાજ્યમાં આ સ્થિતી છે ત્યાકે મણિપુર સરકારે આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ 1958 AFSPA ને 1 ઓક્ટોબરથી સાત જિલ્લાના ઓગણીસ પોલીસ સ્ટેશનો સિવાય મણિપુરના તમામ ભાગોમાં આગામી છ મહિના માટે લંબાવ્યો છે.
નોટિફિકેશનમાં જણાવાયું છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની એકંદર સ્થિતિ અને રાજ્યના તંત્રની ક્ષમતાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે છ મહિના સુધી વર્તમાન વિક્ષેપિત વિસ્તારની સ્થિતિ પર યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યની રાજધાની ઇમ્ફાલમાં મંગળવારે બે યુવકોના અપહરણ અને હત્યાના વિરોધમાં વિદ્યાર્થી જૂથોએ વિરોધ રેલીઓ યોજી હતી. હત્યાના સમાચાર બહાર આવ્યા બાદ મંગળવારે વિરોધનો એક નવો રાઉન્ડ શરૂ થયો અને રેપિડ એક્શન ફોર્સ સાથે પણ અથડામણના સમાચાર આવ્યા હતા. આ અથડામણમાં ઓછામાં ઓછા 45 વિરોધીઓ ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
