સંસદમાં આજેઃ લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં સુધારો કરવા માટેનુ બિલ કરવામાં આવશે રજૂ
જાણો આજે સંસદના શિયાળુ સત્રમાં શું શું થશે.
નવી દિલ્લીઃ સંસદમાં સોમવારનો દિવસ ઘટનાઓથી ભરપૂર રહ્યો. લોકસભાએ ચૂંટણી કાયદો(સુધારા) બિલ 2021 પાસ કર્યુ. જ્યારે રાજ્યસભાએ નાર્કોટિક્સ ડ્ર્ગ્સ એન્ડ સાઈકોટ્રોપિક પદાર્થ અધિનિયમમાં ભૂલોને સુધારવા માટે પોતાની મંજૂરી આપી. બીજી તરફ કેન્દ્ર અને વિપક્ષી દળો વચ્ચે બેઠક થઈ શકી નહિ. કેન્દ્રએ રાજ્યસભાના 12 સાંસદોના સસ્પેન્શન બાદ મતભેદોને દૂર કરવા માટે વિપક્ષને વાતચીત માટે બોલાવ્યા હતા.
લોકસભામાં આજે
નાણામંત્રી નિર્મલા સીતારમણનો પ્રસ્તાવ છે કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ એક્ટ, 1949, કૉસ્ટ એન્ડ વર્કર્સ અકાઉન્ટન્ટસ એક્ટ, 1959 અને કંપની સેક્રેટરીઝ એક્ટ, 1980માં વધુ સુધારા કરતા બિલ પર વિચાર કરવામાં આવે.
જળવાયુ પરિવર્તન પર આગળની ચર્ચા થશે.
મોંઘવારી પર ચર્ચાનો વિરોધ.
રાજ્યસભામાં આજે
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ પ્રસ્તાવ કર્યો કે લોકસભા પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951માં વધુ સુધારા કરતુ બિલ જે લોકસભામાં પાસ કરવામાં આવ્યુ છે તેના પર વિચાર કરવામાં આવે.
નિર્મલા સીતારમણનો પ્રસ્તાવ છે કે લોકસભા દ્વારા પાસ નાણાકીય વર્ષ 2021-22ની સેવાઓ માટે ભારતના એકીકૃત ભંડોળમાંથી અમુક વધુ રકમોની ચૂકવણી અને વિનિયોગને અધિકૃત કરતા બિલ પર વિચાર કરવામાં આવે.