નિધિ રાજદાન : હાવર્ડ યુનિવર્સિટીને નામે છેતરપિંડીનો ભોગ બન્યાં જાણીતાં પત્રકાર
એનડીટીવીનાં જાણીતાં પત્રકાર નિધિ રાજદાન સાથે હાવર્ડ યુનિવર્સિટીમાં નોકરીને નામે છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે.નિધિ રાજદાને પોતે સોશિયલ મીડિયામાં તે અંગે જાણકારી આપી છે.આ કેસમાં નિધિ રાજદાનને ઑનલાઇન હાવર્ડ યુનિવ

એનડીટીવીનાં જાણીતાં પત્રકાર નિધિ રાજદાન સાથે હાવર્ડ યુનિવર્સિટીમાં નોકરીને નામે છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે.
નિધિ રાજદાને પોતે સોશિયલ મીડિયામાં તે અંગે જાણકારી આપી છે.
આ કેસમાં નિધિ રાજદાનને ઑનલાઇન હાવર્ડ યુનિવર્સિટીમાં ઍસોસિયેટ પ્રોફેસરની નોકરીની ઓફર કરવામાં આવી હતી.
એમણે ટ્વિટમાં લખ્યું કે, "હું એક ખૂબ મોટાં ફિશિંગ હુમલાનો શિકાર થઈ છું."
એમણે પોતાનાં નિવેદનને ટ્વિટ કરતાં કહ્યું કે, આ મામલે હવે હું સોશિયલ મીડિયામાં કંઈ નહીં કહું.
https://twitter.com/Nidhi/status/1350024214997155840
નિધિ રાજદાને 21 વર્ષ એનડીટીવીમાં કામ કર્યું અને આ કથિત નવી નોકરીની ઓફર બાદ તેમણે જૂન 2020માં રાજીનામું આપી દીધું હતું.
નિધિ રાજદાને પોતાનાં નિવેદનમાં કહ્યું કે, એમને પહેલાં સપ્ટેમ્બર 2020થી એમની નોકરી શરૂ થશે એમ કહેવામાં આવ્યું હતું. પછી, કોરોના મહામારીને કારણે એમની નોકરી જાન્યુઆરી 2021થી શરૂ થશે એમ કહેવામાં આવ્યું.
નિધિ રાજદાનનો દાવો છે કે આ પછી જે કહેવામાં આવી રહ્યું હતું એમાં અનેક વહીવટી વિસંગતિઓ એમનાં ધ્યાને આવી.
- યોગીના ગઢમાં મોદીની નવી ચાલ, ગુજરાત કૅડરના IASથી રાજકારણી બનનાર એ.કે. શર્મા કોણ છે?
- અર્ણવ ગોસ્વામી સોશિયલ મીડિયામાં ફરીથી કેમ ચર્ચાઈ રહ્યા છે?
એમણે લખ્યુંકે, "પહેલાંતો મેં આ વિસંગતિઓ પર મહામારીને કારણે અપનાવવામાં આવેલા માપદંડો ગણીને ધ્યાન ન આપ્યું પરંતુ તાજેતરમાં મને એમાં જરા વધારે ગરબડ નજર આવી. આ પછી મે હાવર્ડ યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓનો આ બાબતે સંપર્ક કર્યો. મને જે હાર્વડમાંથી મોકલવામાં આવેલી લાગતી હતી તે તમામ માહિતીઓ મેં એમની સાથે શૅર કરી."
એમણે લખ્યું કે, " યુનિવર્સિટીની તરફથી મળેલી જાણકારીને આધારે મને એ ખબર પડી કે હું એક વ્યવસ્થિત રીતે ફિશિંગ હુમલાનો શિકાર થઈ છું. ખરેખર તો મને હાવર્ડ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં ઍસોસિયેટ પ્રોફેસરની નોકરીની કોઈ ઓફર થઈ જ નથી. હુમલાખોરોએ મારો વ્યક્તિગત ડેટા, કમ્યુનિકેશન ડિવાઇક અને સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી મેળવેલી માહિતીઓનો ફિશિંગ હુમલામાં ઉપયોગ કર્યો હતો."


- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=gdNcG9Qy5G8
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
