લદ્દાખમાં ચીનને જવાબ આપવા ભારત તૈયાર, આર્થિક મોરચે લઈ જશે નવા નિર્ણયો!
જો ચીન પોતાની જિદ પર અડેલુ રહેશે તો પછી તે અહીં તેને જવાબ આપશે.
નવી દિલ્લીઃ પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ) પૂર્વ લદ્દાખના પેંગોંગ ઝીલ અને ગોગરા-હૉટ સ્પ્રિંગ્ઝ વિસ્તારના અમુક ભાગોને છોડવા માટે મંજૂર નથી. લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ડિ-એસ્કલેશન વિશે તેનુ અડિયલ વલણ ચાલુ જ છે. એવામાં હવે ભારત સરકાર આર્થિક મોરચે ચીન સામે નવા પગલા ઉઠાવવાની તૈયારી કરી રહી છે. આ મુદ્દે નજર રાખી રહેલા વિશેષજ્ઞોની માનીએ તો ભારત સરકાર એ સ્પષ્ટ કરી દેવા ઈચ્છે છે કે તેના માટે બિઝનેસ મહત્વનો છે અને જો ચીન પોતાની જિદ પર અડેલુ રહેશે તો પછી તે અહીં તેને જવાબ આપશે.

પાંચ મેથી ચાલુ છે ટકરાવ
ભારત અને ચીન વચ્ચે પાંચ મેથી લદ્દાખમાં ટકરાવ ચાલુ છે. સોમવારે ચાઈના સ્ટડી ગ્રુપ(સીએસજી)એ લદ્દાખમાં પીએલએની એક્શન વિશે ચર્ચા કરી અને સાથે તિબેટના અક્સાઈ ચીન વિસ્તારમાં ચીનની આક્રમકતા પર પણ વાત કરી. સીએસજીમાં ભારતના ઘણા વરિષ્ઠ મંત્રીઓ ઉપરાંત મિલિટ્રી લીડર્સ અને બ્યૂરોક્રેટ શામેલ છે. તે એ યુનિટ છે જે સરકારને ચીન પર કાર્યવાહી લેવાના વિકલ્પ સૂચવે છે. ચીને કહ્યુ છે કે તે ભારત સાથે સંબંધ સામાન્ય કરવા માટે ઈચ્છુક છે. પરંતુ કેન્દ્ર સરકાર અને સેના તરફથી પણ એ સંદેશ સ્પષ્ટ આપી દેવામાં આવ્યો છે કે લદ્દાખમાં એપ્રિલ 2020વાળી યથાસ્થિતિ કોઈ પણ સંજોગોમાં ચાલુ થવી જોઈએ. સૂત્રો મુજબ સેનાને આદેશ આપી દેવામાં આવ્યો છે કે લદ્દાખમાં 1597 કિલોમીટર લાંબી એલએસીની બધી ફૉરવર્ડ પોઝિશન્સ પર તે હાજર રહે.

ડિ-એસ્કલેશનથી પાછળ હટ્યુ ચીન
પાંચ જુલાઈએ ભારત અને ચીન વચ્ચે સ્પેશિયલ રિપ્રેઝન્ટેટીવ્ઝ (એસઆર) તંત્ર હેઠળ બે કલાક વાતચીત થઈ હતી. બંને પક્ષ એ વખતે પૂર્ણ ડિસએન્ગેજમેન્ટ અને ડિ-એસ્કલેશન માટે રાજી થયા હતા. પરંતુ એક મહિના પછ પણ સ્થિતિ જેમની તેમ જ છે અને પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ)ના જવાન અડી ગયા છે.

શાંતિ અને સ્થિરતા મહત્વની
અમેરિકાએ ચીનની ટેકનોલૉજી કંપની હુઆવે અને તેની સમર્થક કંપનીઓ સામે એક્શન લીધી છે. એવામાં ભારત પણ ચીની કંપની અને તેની સહાયક કંપનીઓને ભાવિ પ્રોજેક્ટ્સથી બહાર કરી શકે છે. સરકાર તરફથી એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ છે કે દ્વિપક્ષીય સંબંધ પ્રત્યક્ષ તરીકે બૉર્ડર પર શાંતિ અને સ્થિરતા સાથે જોડાયેલો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
