ભારતનો પ્રથમ ભૂગર્ભજળ નકશો રજૂ કરાયો
આજે દિલ્હીમાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના ચેરમેન એસ સી ધીમન દ્વારા ભારતનો પ્રથમ ભૂગર્ભજળ નકશો રજૂ કરતા સમયે ભારતમાં ભૂગર્ભજળની સ્થિતિ અંગે વાત કરતા જણાવ્યું કે 'હિમાચાલ પ્રદેશમાં ભૂગર્ભજળનું સ્તર સૌથી સારું છે કારણ કે જેટલું ભૂગર્ભજળ બહાર કાઢવામાં આવે છે તેટલી જ ઝડપથી તેનો પુન:સંચય કરવામાં આવે છે. આ નકશામાં સૌપ્રથમવાર ભારતના ભૂગર્ભજળસ્તરની સ્થિતિને દર્શાવવામાં આવી છે.'
આ પ્રસંગે જળ સંસાધન પ્રધાન પવન કુમાર બંસલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ નકશામાં ભારતના 14 મુખ્ય ભૂગર્ભજળસ્તર અને 42 મોટા ભૂગર્ભજળસ્તરને આવરી લેવામાં આવ્યા છે. આગામી સાત વર્ષમાં તમામ અંદાજે 1000 ભૂગર્ભજળસ્તરને આવરી લેવામાં આવશે. બંસલે ભારતનો ભૂગર્ભજળસ્તર નકશો જાહેર કરવા ઉપરાંત હિમાચાલ પ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, પુડ્ડુચેરી, કેરળ, કર્ણાટક, મેઘાલયના પણ ભૂગર્ભજળસ્તર નકશા રજૂ કર્યા હતા.