INDIA કે NDA.. જાણો માયાવતી કોની સાથે ગઠબંધન કરશે? ખુદ કર્યો ખુલાસો
એક તરફ 26 વિપક્ષી પાર્ટીઓનું INDIA ગઠબંધન રયાયુ છે તો બીજી તરફ નરેન્દ્ર મોદી સરકારને મોડે મોડે NDA ની યાદ આવી છે. જો કે બન્ને ગઠબંધનની માયાવતી દુર છે અને હવે માયાવતીએ ખુદ બીએસપી કોની સાથે જશે તેને લઈને પત્તા ખોલ્યા છે.
એક તરફ એનડીએ અને બીજી તરફ ઈન્ડિયાની બેઠકો બાદ બુધવારે મીડિયા સાથે વાત કરતા માયાવતીએ કહ્યું કે, BSP આગામી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં ન તો NDA સાથે જશે કે ન તો ઈન્ડિયા સાથે.

માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસે પોતાના જેવા જાતિવાદી અને મૂડીવાદી વિચારસરણીવાળા પક્ષોનું ગઠબંધન કર્યું છે અને ફરી એકવાર કેન્દ્રમાં સત્તા મેળવવાનું સપનું જોઈ રહી છે. એનડીએની હાલત પણ એવી જ છે અને તે પોતાને મજબૂત બતાવીને સત્તામાં આવવા માંગે છે.
માયાવતીએ આગળ કહ્યું કે, આ બંને ગઠબંધનની વાત અને કામમાં તફાવત સમાન છે. બંને ગઠબંધન માત્ર સત્તામાં આવવા પોતપોતાના દાવા કરી રહ્યા છે. BSP લોકસભા ચૂંટણી અને તેની પહેલા યોજાનારી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં એકલા લડશે.
માયાવતીએ કહ્યું કે, અમારી પાર્ટી ચોક્કસપણે હરિયાણા અને પંજાબમાં પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરી શકે છે. પરંતુ તેની એક શરત છે કે હાલમાં તે પ્રાદેશિક પક્ષોને એનડીએ અથવા યુપીએને બદલીને રચાયેલા INDIA સાથે કોઈ સંબંધ ન હોવો જોઈએ.
અહીં તમને જણાવી દઈએ કે, 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા દેશના પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
આ રાજ્યોમાં રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તા પર છે. મધ્યપ્રદેશમાં બીજેપી સત્તા પર છે. જ્યારે તેલંગાણામાં BRS અને આંધ્ર પ્રદેશમાં YSRCP સરકાર ચલાવી રહી છે. આ ચૂંટણીના પરિણામો મોદી સરકારનું ભવિષ્ય નક્કી કરશે.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત











Click it and Unblock the Notifications
