Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવાનો ઇનકાર કર્યો

pm-manmohan-singh
નવી દિલ્હી, 17 જાન્યુઆરી : સમાચાર એજન્સી પીટીઆઇ તરફથી આવી રહેલા અહેવાલો અનુસાર ભારતે પાકિસ્તાન સાથે કોઇ પણ વાતચીત કરવાનો ઇન્કાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા આકરો વિરોધ નોંધાવ્યા બાદ પાકિસ્તાનો પોતાનું અક્કડ વલણ છોડીને ભારત સમક્ષ વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાને પરસ્પર વાતચીત કરીને સરદહ વિવાદનો ઉકેલ લાવવો જોઇએ.

આ મુદ્દે ભારત સરકારે પાકિસ્તાન સાથે એક પણ મુદ્દે વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો છે. ભારતે કહ્યું છે કે જો પાકિસ્તાન ભારત પાસેથી સારા સબંધો ઇચ્છે છે તો પહેલા પોતાની ભૂલનો સ્વીકાર કરે. પાકિસ્તાને છેલ્લા 10 દિવસમાં અનેકવાર સંઘર્ષ વિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાને એ વાતનો પણ ઇનકાર કર્યો છે કે ભારતીય જવાનનો શિરચ્છેદ કરી તેની સાથે બર્બર કૃત્ય આચર્યું છે.

પાકિસ્તાનના આવા ઘૃણાસ્પદ કાર્ય અંગે પોતાની નારાજગી વ્યક્ત કરતા ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું કે ભારત સાથે પાકિસ્તાનના સંબંધ ક્યારે પણ સામાન્ય રહી શકે એમ નથી. હવે ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવાની ના પાડી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ન્યુયોર્કમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી હિના રબ્બાનીએ એક નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ભારત યુદ્ધ માટે ઉશ્કેરી રહ્યો છે. જ્યારે ભારતીય સેનાના વડા જનરલ વિક્રમસિંહે જણાવ્યું હતું કે અમે સમય આવતા પાકિસ્તાનને આકરો જવાબ આપીશું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X