ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવાનો ઇનકાર કર્યો

આ મુદ્દે ભારત સરકારે પાકિસ્તાન સાથે એક પણ મુદ્દે વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો છે. ભારતે કહ્યું છે કે જો પાકિસ્તાન ભારત પાસેથી સારા સબંધો ઇચ્છે છે તો પહેલા પોતાની ભૂલનો સ્વીકાર કરે. પાકિસ્તાને છેલ્લા 10 દિવસમાં અનેકવાર સંઘર્ષ વિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાને એ વાતનો પણ ઇનકાર કર્યો છે કે ભારતીય જવાનનો શિરચ્છેદ કરી તેની સાથે બર્બર કૃત્ય આચર્યું છે.
પાકિસ્તાનના આવા ઘૃણાસ્પદ કાર્ય અંગે પોતાની નારાજગી વ્યક્ત કરતા ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું કે ભારત સાથે પાકિસ્તાનના સંબંધ ક્યારે પણ સામાન્ય રહી શકે એમ નથી. હવે ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવાની ના પાડી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ન્યુયોર્કમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી હિના રબ્બાનીએ એક નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ભારત યુદ્ધ માટે ઉશ્કેરી રહ્યો છે. જ્યારે ભારતીય સેનાના વડા જનરલ વિક્રમસિંહે જણાવ્યું હતું કે અમે સમય આવતા પાકિસ્તાનને આકરો જવાબ આપીશું.












Click it and Unblock the Notifications
